SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૦] શ્રી કપૂરવિજયજી જે એક શાંત-વૈરાગ્ય રસનું આસ્વાદન કરવાથી અવર્યાઅપૂર્વ તૃપ્તિ થાય છે, તે રસના (જીભ) ઈન્દ્રિયવડે ષસને સ્વાદ લેવાથી થવા પામતી નથી, એવી અપૂર્વ તૃપ્તિને અવશ્ય લાભ લેવા કેણ ચૂકે? ૩. શાન્તરૂપ અદ્વિતીય રસના આસ્વાદ-અનુભવથી જે ઈન્દ્રિયને અગોચર કેવલ અનુભવગમ્ય તૃપ્તિ થાય છે તે જિન્દ્રિયવડે ષસના ચાખવાથી પણ થતી નથી. બીજી સર્વ તૃપ્તિથી જ્ઞાનતૃપ્તિ અધિક દેખાડી (તેથી) એ વ્યતિરેકાલંકાર છે. संसारे स्वमवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी। तथ्या तु भ्रान्तिशून्यस्य, साऽऽत्मवीर्यविपाककृत् ॥४॥ સંસારમાં મુગ્ધ જનોએ માની લીધેલી તૃપ્તિ સ્વપ્નવત્ મિથ્યા છે. સાચી તૃપ્તિ તો આત્માને વિદ્યાસ કરનારી જ્ઞાન–વેરાગીની જ છે. ૪. જેમ સ્વપ્નમાં માદક ખાધા કે દીઠા તેથી તૃપ્તિ ન થાય, તેમ સંસારમાં અભિમાનસિદ્ધ-માની લીધેલી જૂઠી તૃપ્તિ સમજવી. સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન રહિત સમ્યગ્દષ્ટિને હોય છે. તે તૃપ્તિ આત્માના વીર્યને પરિપાક-પુષ્ટિ કરનારી હોય છે. તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે. पुद्गलैः पुद्गलास्तृप्ति, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन युज्यते ॥ ५॥ .. પુદ્ગલવડે પુદ્ગલ પિષાય છે–તૃપ્ત થાય છે અને જ્ઞાનાદિ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy