SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૩૫ ] આત્માનું લક્ષણ હોવાથી સ્વપવસ્તુના બંધ થવારૂપ છે, પરન્તુ તેમાં ઈષ્ટપણા અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પરવસ્તુના સંગથી થએલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે, તે સર્વથા ત્યાગ કરવા ગ્ય છે, માટે ઈન્દ્રિયોને જય કરવા ચોગ્ય છે. તેમાં દ્રવ્યજય એ ઈન્દ્રિયોની પ્રવૃત્તિને સંકેચ કરવા વિગેરે રૂપ છે. ભાવજય એ આત્માના ચેતના અને વીર્યગુણની સ્વરૂપને અનુકૂળ પ્રવૃત્તિ કરવારૂપ છે. वृद्धास्तृष्णाजलापूणे-रालवालैः किलेन्द्रियैः। मूच्छोमतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥२॥ તૃષ્ણા-જળથી ભરેલા કયારારૂપ ઈન્દ્રિયવડે જ પુર્ણ થયેલા વિકારરૂપી વિષવૃક્ષે, મૂઢ જનોને ભારે મૂચ્છ ઉપજાવે છે. સુજ્ઞ સંતોષી જનો જિતેન્દ્રિય હાઈ, તેવા વિકારને વશ થતા નથી અર્થાત્ તેઓ સદા સુખી જ રહે છે. ૨. લાલસારૂપ જળવડે ભરેલા ઇન્દ્રિયરૂપ કયારાઓવડે વૃદ્ધિ પામેલા વિષવૃક્ષે ખરેખર આકરી તીવ્ર મૂછ–મોહને આપે છે. सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः । तृप्तिमान् नेन्द्रियग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥ ३ ॥ હજારોગમે નદીઓના જળથી નહીં પૂરાતા સમુદ્ર સમે ઈન્દ્રિયોને સમૂહ અતૃપ્ત જ રહે છે માટે અંતરાત્માથી જ તૃપ્ત થા.૩. હજારો નદીઓવડે ન પૂરી શકાય એવા સમુદ્રના ઉદરપેટ સમાન ઇન્દ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી, એમ જાણું છે વત્સ! અન્તરાત્માવડે સમ્યફ શ્રદ્ધાન કરી તૃપ્ત થા.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy