SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૨] શ્રી કરવિજયજી ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ।। ४ ॥ ધાનવૃષ્ટિથી દયા-નદીનું શમપૂર ચડ્ય છતે કાંઠે ઊગેલાં વિકારવૃક્ષનું મૂળથી ઉમૂલન-ઉછેદન થાય છે. ૪. ધ્યાનરૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું શમરૂપ પર વૃદ્ધિ પામે છે ત્યારે વિકાર-ચિત્તના અન્યથાભાવરૂપ કાંઠાના વૃક્ષનું મૂળથી જ ઉમૂલન થાય છે. ज्ञानध्यानतप:शील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधु-र्यमामोति शमान्वितः ॥ ५ ॥ જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સભ્યત્વ યુક્ત સાધુ પોતે એ આત્મલાભ પામી નથી શકતો કે જે શાન્તાત્મા પામી શકે છે. પ. જ્ઞાન–તત્વનો અવબોધ, ધ્યાન-સજાતીય પરિણામની ધારા, ઈચ્છાના નિરોધ લક્ષણ બાર પ્રકારનો તપ, શીલ–બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ-તત્ત્વનું શ્રદ્ધાન–ચિત એટલા ગુણવડે સહિત હોવા છતાં પણ સાધુ તે ગુણને પ્રાપ્ત કરતો નથી કે જે ગુણને શમગુણવડે અલંકૃત પુરુષ પ્રાપ્ત કરે છે. स्वयंभूरमणस्पर्द्धि-वर्धिष्णुसमतारसः। मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥ ६॥ સ્વયંભૂરમણ સાથે સ્પર્ધા કરતો અને વધતો જતો સમતારસ જેનામાં છે એવા મુનિ સાથે સરખાવી શકાય એવી કઈ વસ્તુ દુનિયામાં નથી. ૬.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy