________________
[ ૫૮ ]
શ્રી કપૂરવિજયજી
નિખાલસપણે સામા જીવને ખમાવવું જ જોઇએ. જે આ રીતે ખમાવતાં ખમે છે ( માડ઼ી આપે છે-પેાતાનેા રાષ તજી દે છે ) તે આરાધક થઈ શકે છે, અને જે ખમતા નથી-રાષ રાખી રહે છે તે આરાધક થતા નથી. એથી જ સૂક્તિકારે કહ્યું છે કે “ ઉપશમ ગુણ સેવનારનુ સર્વત્ર હિત જ થાય છે. એ સમું બીજી શ્રેષ્ઠ સુખ નથી. એ ઉપશમ ગુણ વગર જે કઇ તપ, જપ પ્રમુખ કઠિન કરણી કરવામાં આવે છે તે સર્વ નિષ્ફળપ્રાય થાય છે અને ઉપશમ ભાવપૂર્વક જે કઇ ધર્મકરણી કરવામાં આવે છે તે સઘળી પરમ હિતકારી થાય છે. ’' જેણે ઉપશમ રસ ચાખ્યા છે તેને ખીજા રાજઋદ્ધિ પ્રમુખનાં સુખ નિરસ લાગે છે અને તેથી જ મેાટા ચક્રવત્તી પ્રમુખ વિશાળ ઋદ્ધિવાળા પણુ પેાતાને પ્રાપ્ત થયેલાં રાજ્યાદિક સુખને તૃણવત્ તજી દઇ શમ-સમતા સામ્રાજ્યને આપનારું ચારિત્ર અંગીકાર કરી તેને સેવે છે.
જેમને પરમ ઉપશમભાવ પ્રગટ્યો છે તેવા ગજસુકુમાળે, ચેતા મુનિ અને બધકમુનિની પેઠે પ્રાણાન્ત કષ્ટ આવે છતે પણ પરમ શાન્તિ સાચવી રહ્યા છે, તેઓ દેહની કશી દરકાર નહિ કરતાં એક ઉત્કૃષ્ટ સમતાને જ સાર લેખી રહ્યા છે તે મુનિઓને ધન્ય છે!
પરમ ક્ષમાવત શ્રી અરિહંતાદિકના પવિત્ર ચરિત્રને અનુસરી ઉત્તમ જનાએ નિર્મળ જ્ઞાનદષ્ટિથી ક્રોધાદિક ઢાષાને દૂર કરી, ઉપશમ પ્રમુખ ઉત્તમ ગુણને આદર કરવા સદા ય ઉજમાળ રહેવું ઉચિત છે.