SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૪૩ ] ર્યું તો તે હજુ સુધી નાંખી દીધું નથી–તજી દીધું નથી. અને દુર્ગત કેતાં દુર્ભાગી નર જે પુરુષ તેને લઈને વિક્રમાદિત્યે પણ રાખે છે-તજી દીધું નથી. આ બન્ને દષ્ટાતો લકિકના છે. સુબુદ્ધિવંતનું એ કર્તવ્ય છે કે પ્રથમ તો જે કંઈ પ્રતિજ્ઞા કરવી તે દક્ષતાથી–ડહાપણથી-દુરંદેશી રાખીને, તેનું પરિણામ અને પિતાનું સામર્થ્ય–શક્તિ વિચારીને જ કરવી. જે કરવાને પોતે શક્તિમાન હોય, જે કરવું હિતરૂપ હોય અને જેનું પરિણામ સુંદર આવવા સંભવ હોય–આવું જ કાર્ય કરવા ડહાપણથી નિશ્ચય કરે અને પછીથી તેવા કરેલા નિશ્ચયથી ગમે તેવા ભેગે પણ ડગવું નહિ. દુનિયામાં ત્રણ પ્રકારના પ્રાણીઓ-જી મળી આવે છે. અધમ, મધ્યમ અને ઉત્તમ. તેમાં જે અધમ કેટિના જીવે છે તેઓ તો અજ્ઞાન અને મેહની પ્રબળતાથી કેવળ કાયરતા ધારીને ગમે તેવાં શક્ય કાર્ય–અનુષ્ઠાનને પણ આદરતા જ નથી. બીજ જે મધ્યમ કોટિના જ હોય છે તે છે કે કોઈ જ્ઞાની પુરુષોનાં મુખથી કોઈ કાર્ય–અનુષ્ઠાનને પ્રભાવ–મહિમા સાંભળીને તેને આદર કરે છે ખરા, પણ તે પ્રમાણે કરતાં કંઈ વિધ્ર આવી પડતાં આદરેલાં કાર્યને તજી દે છે. અને જે ઉત્તમ કોટિના હોય છે તેઓ તો પૂર્વ મહાપુરુષોની પેઠે દીર્ધદષ્ટિથી હિતકારી કાર્યને જ નિજ શક્તિ-સામનો પૂરતો ખ્યાલ રાખીને આદરે છે અને આદરેલાં કાર્યનો પ્રાણાંત કષ્ટ આવ્યું તે પણ પૂર્વોત્સાહથી નિર્વાહ કરે છે. તેઓ આદરેલાં કાર્યને ગમે તેવા પ્રતિકૂળ સંગમાં અધવચ લટકતું મૂકતા નથી. આવા ઉત્તમ પુરુષોની દઢ ટેક નિરખવાને માટે જ હોય તેમ સૂર્ય અને ચંદ્રાદિક આકાશમાં ફરતા રહે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy