SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] શ્રી કરવિજયજી તેમ સમકિત સહિત કરવામાં આવતી સઘળી કરણી લેખે થાય છે, પ્રમાદ દેષ ઓછો થતો જાય છે અને ક્ષમા, મૃદુતા (નમ્રતા), સરલતા અને સંતોષાદિક સદગુણો પ્રગટ–પેદા કરવા આત્મા જાગ્રત થતો જાય છે, એટલે વિલાસ વધતો જાય છે અને શુદ્ધ આચાર-વિચારને અભ્યાસ કરવા આત્મા સમર્થ થઈ શકે છે. એ રીતે વિનયપૂર્વક કરેલ સમ્યગજ્ઞાનનું આવું રૂડું પરિણામ આવે છે. સમ્યજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહો તે આત્માનું ખરું હિતકલ્યાણ સાધી શકે એવી સાચી કરણી આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલદી જીવને જન્મમરણના દુઃખમાંથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે તેમ સમ્યગજ્ઞાનમાં સાચી કરણું પણ સાથે જ મળી રહે છે–તે એક બીજાથી વિખૂટાં રહેતાં જ નથી. પછી તે કરણું બાહ્ય રૂપે હોય કે અત્યંતર રૂપે. શુદ્ધ ઉપગ સહિત કરાતી કરણી–સાચી કરણી સઘળાં દુઃખને અંત કરે છે અને વિશેષમાં તેથી અન્ય અનેક ભવ્ય જીવેનું પણ હિત સધાય છે. મતલબ કે આવા સરસ્વભાવી જીવનું પિતાનું કલ્યાણ તે નિ:સંશય થાય છે પણ તેનું અનુમોદન કરનારનું તેમજ યથાશક્તિ તવત્ વર્તન કરનારનું પણ સહેજે શ્રેય થઈ શકે છે. આ પ્રમાણે અનેક રીતે સ્વપરને ઉપકાર કરનારું સમ્યજ્ઞાન છે એમ જે સમજવામાં આવે તો પછી એવું અખૂટ જ્ઞાનધન પેદા કરવા હે સુખના અથી ભાઈબહેન ! તમે કેમ ઉદ્યમ કરતાં નથી ! પૂર્વે જવ નામના ઋષિ-મુનિએ એક ગાથાના બોધ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy