________________
[ ૨૦ ]
શ્રી કપૂરવિજયજી ૮ વ્યાજબી દાક્ષિણ્યતા રાખવી (કેઈએ કહેલાં ઉચિત
વચનનો આદર.) ૯ લજજા–મર્યાદા–અદબ રાખવી. ૧૦ દયા-સહુને આત્મ સમાન લેખવા. ૧૧ રાગદ્વેષ રહિત નિષ્પક્ષપાતી વર્તન. ૧૨ સગુણ-ગુણું પ્રત્યે પવિત્ર પ્રેમ-રાગ. ૧૩ હિત-પ્રિય-સત્ય વચન કથન (વિકથાવજન અને શાસ્ત્ર
વચનસેવન). ૧૪ સ્વજન-મિત્ર કુટુંબને ધર્મરસિક કરવા પ્રયત્ન. ૧૫ શુભાશુભ પરિણામ આશ્રી લાંબો વિચાર કર્યા બાદ કઈ
પણ કાર્યને આરંભ કરવાની ટેવ. ૧૬ કોઈ પણ વસ્તુના ગુણદોષ સારી રીતે જાણવાની પદ્ધતિ. ૧૭ આચારવિચારમાં કુશળ-શિષ્ટ પુરુષને અનુસરી ચાલવું.
ઉત્તમ પુરુષો પાસે તાલીમ લેવી. ૧૮ વડીલોને તથા ગુણ જનને ઉચિત આદર કરે. ૧૯ ઉપગારી લોકો માતા-પિતા-સ્વામી વિગેરે તથા હિતોપદેશ
દેવાવાળા ગુરુમહારાજને ઉપગાર સદા ય સ્મરણમાં રાખવે. ૨૦ ત્રિભુવન હિતકારી તીર્થકર મહારાજ જેવા મહાપુરુષોના
પવિત્ર દાન્ત દિલમાં ધારી આપણે પણ આપણું કર્તવ્ય
સમજીને પરોપકારરસિક થવું. ૨૧ કઈ પણ કાર્યમાં કુશળ, અલ્પ પ્રયાસે કાર્ય સાધી
લેવાની ચંચળતા.