________________
[ ૧૨ ]
શ્રી કપૂરવિજયજી
ઉપર બહુ સારી અસર થાય છે, મનમાં ખાટા વિચાર-કુવિકલ્પે। પેસતા નથી અને સારા વિચાર। સહેજે આવે છે. આમ થવાથી અભ્યતર તપને પણ સારી પુષ્ટિ મળી શકે છે, તેમજ તેથી શુભ ભાવના પણ સહેજે પ્રગટ થાય છે.
શાસ્ત્રમાં ચાર પ્રકારની ભાવના કહેલી છે. ૧ મૈત્રી ભાવના, ૨ મુદિતા ( પ્રમાદ ) ભાવના, ૩ કારુણ્ય ( કરુણા )ભાવના, અને ૪ માધ્યસ્થ ભાવનારૂપ ચાર ભાવનાએ બતાવેલી છે.
૧ સહુ કાઇ જીવ સદા ય સુખી થાઓ ! કાઇ કદાપિ દુ:ખી ન થાઓ ! સહુ કાઇ સન્માર્ગે ( સુખદાયી–સાચા માર્ગે ) ચાલે ! કાઇ કુમાર્ગે ન ચાલે ! એવા પ્રકારની અંત:કરણની ભાવનાને મૈત્રી ભાવના કહે છે.
૨ કાઇપણ સદ્ગુણી જનને દેખીને કે તેના ઉત્તમ ગુણા જાણીને દિલમાં રાજી થવું. જેમ મેઘને! ગરવ સાંભળીને મયૂર ખુશી થઇ કેકારવ કરે છે તેમ ગુણીજનાનું ગુણગાન સાંભળી મનમાં આનંદ ઉભરાઇ જાય અને આપણને પણ તેવા ગુણ પામવા પ્રેમ વછૂટે--ત:કરણમાં ઊંડી લાગણી પેદા થાય તે પ્રમાદ ભાવના છે.
૩ દીન-અનાથને દુ:ખી દેખી તેનું દુ:ખ એછુ કરવા જે લાગણી પેદા થાય તે તેમજ આપણાથી આછા ગુણવાળા જીવ આપણી ખરાખર થાય તેા સારું એમ વિચારી તેમના તરફ તિરસ્કાર બુદ્ધિ નહિ લાવતાં અનુકંપા યા દયાભરેલી લાગણી પ્રગટે તેને જ્ઞાની પુરુષા કરુણા ભાવના કહે છે.
૪ ગમે તેવા પાપી, નિર્દય અને નિંદક નાદાન જીવ ઉપર