________________
શ્રી કપૂરવિજયજી સદ્દવર્તન મને પ્રાપ્ત થાય એવી સુબુદ્ધિ આપે. મારાથી કંઈ પણ લોકવિરુદ્ધ કાર્ય ન થાય, હું સદા ય ન્યાયમાર્ગે જ ચાલતે રહું, મારા વડીલોની સદા ય પ્રેમથી સેવાભક્તિ કરું, પરેપકારનાં કામ કરું અને સદગુરુને જેગ પામી જીવતાં સુધી તેમની આજ્ઞાનું અખંડ પાલન કરું. મને આપની કૃપાથી આ પ્રમાણેના ઈષ્ટફળની પ્રાપ્તિ થાય એમ હું ઈચ્છું છું. વળી હે પ્રભુ! ભવોભવ મુજને આપના ચરણકમળની સેવની પ્રાપ્ત થાઓ, તેમજ સમાધિયુક્ત મારું આયુષ્ય પ્રસાર થાઓ, ભવાંતર(બીજા ભવ)માં પણ મને આપના પવિત્ર ધર્મનું જ શરણ હો! પરમ પવિત્ર દેવ, ગુરુ અને ધર્મમાં જ મારી બુદ્ધિ સદા ય સ્થપાયેલી બની રહો !”
૨ ગુરુતત્ત્વ સ્વ૫ર સમય જાણે, ધર્મ વાણું વખાણે, પરમ ગુસે કહ્યથી, તત્વ નિઃશંક માણે; ભવિક કજ વિકાસે, ભાનુપું તેજ ભાસે, ઇહ જ ગુરુ ભજે છે, શુદ્ધ માગ પ્રકાસે. ૩ સુગુરુ વચનસંગે, નિસ્તરે છવ રંગે, નિરમળ નર થાયે, જેમ ગંગા પ્રસંગે; સુણીય સુગુર કેસી, વાણુ રાય પ્રદેસી, લહી સુરભવ વાસી, જે થશે મોક્ષવાસી. ૪
જે સ્વસંપ્રદાયના શાસ્ત્ર-સિદ્ધાન્તમાં તેમજ પરસંપ્રદાયમાં નિપુણ હોય, તેમાં રહેલું રહસ્ય સારી રીતે જાણતા હોય અને નિષ્પક્ષપાતપણે (મધ્યસ્થપણે) ભવિજનને ધર્મમાર્ગમાં જોડવા