________________
મુમિર શ્રી પ્રવિણ મહારાજની સ્તુતિ
( રાગ-મેરે મૌલા બુલાલે મદીને મુઝે ) ગુરુ કરવિજય ગુણવાન સદા;
શેભે શાંત મુદ્રા સ્મિતની સુખદા–ગુરુવ (ટેક) જ્ઞાન-કિયા મેક્ષ દે”, એ સૂત્ર જગને શીખવ્યું; બોધ દેતા કલેશ હરતા, જીવન જ્ઞાને ખીલવ્યું.
સદા ભવ્યાતણ શંકા હરતા-ગુરૂ૦ (૧) પાઠશાળાઓ સ્થપાવી, કાર્ય ઉત્તમ આદર્યા; જ્ઞાન ગ્રંથ બહુ છપાવ્યા, જ્ઞાન પ આચર્યા.
| મુખે મહાવીર નામ સદા મરતા–ગુરુ૦ (૨) સિદ્ધગિરિની છાંયમાં, દિન ગાળીયા શુદ્ધ ભાવથી; દેશ દેશે વિચર્યા, જન રીઝતા સુપ્રભાવથી.
ગુરુ ચારિત્રવંત પ્રભા ધરતા–ગુરુવ (૩) ગુણપૂજન ને સ્મરણથી, હર્ષ હૃદયે ઉછળે; ગુરુસ્મરણથી સે સત્ય માને, ભવતણા સંકટ ટળે.
ગાયે ગુરુ ગુણે તે શિવપદ વરતા–ગુરુ (૪) પ્રાપ્ત થાવા અજિતપદ, બુદ્ધિ ગુરુમાં રાખજે, મિષ્ટ અમૃતના સમા, ઉત્તમ ફળો સહુ ચાખજે.
મુનિ હેમેન્દ્રગુરુચરણે ભજતાં–ગુરુ (૫)
મુનિશ્રી હેમેન્દ્રસાગરજી.