________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૩૦૧ ] અપૂર્વ શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રવાંચન-શ્રવણ-મનન પ્રમુખ અવશ્ય કરવું તેમ જ પાપપ્રવૃત્તિ તજી, સામાયિક-પ્રતિક્રમણદિક શુભ કરણ જરૂર કરવી.
૧૩. પરનિંદા, ચાડી-ચુગલી, કજીયા-કંકાસ અને પરને અછતા આળ દેવા પ્રમુખ દુષ્ટ આચરણથી આત્માથી જીએ સદંતર દૂર રહેવું. કુદેવ, કુગુરુ અને કુધર્મના ફંદમાં કદાપિ ફસાવું નહીં.
૧૪ વિદ્યાદાન કસુજ સારા પારમાર્થિક કામ કરી સ્વજીવન સફળ કરવું.
૧૫. ફરી ફરી સુદુર્લભ માનવદેહાદિક શુભ સામગ્રી સાંપડવી બહુ કઠણ છે તેથી દરેક રીતે તેની સાર્થકતા કરી લેવા ન ચૂકાય તો જ તે પામી લેખે ગણાય.
[ . ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૮૨ ] સદુપદેશક વાક્ય.
૧ અહે! મૃત્યુવશ પ્રાણી ! આજે પૂર બહારમાં ખીલતું પુપ કાલે કરમાઈને ખરી પડે છે. પ્રભાતમાં પૂર બહારમાં ઊગતે સૂર્ય પણ સંધ્યા કાળે અસ્ત થાય છે, પૂર્ણ બહારમાં પ્રકાશ પૂર્ણિમાનો ચાંદ પણ દિવસે-દિવસે ક્ષીણ થતો જાય છે, તો તે મૃત્યુવશ પ્રાણી! તું કેમ ફૂલે છે? અભિમાનમાં શીદ અકળાય છે ? કાળને ઝપાટે વાગતાં તારી શી પરિસ્થિતિ થશે તેને વિચાર કર ! પ્રભુનું ધ્યાન કર ! સતકર્મ કરી સુખી થા !