SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૭૭ ] કલ્યાણાથી જીવને બેધવચનો. ૧. જેને શુદ્ધ તત્વ સાથે પ્રીતિ જેડવા તીવ્ર ઈચ્છા થઈ હોય તેને અશુદ્ધ તત્ત્વરૂપ દેહાદિક જડ વસ્તુમાં લાગી રહેલી પાર વગરની પ્રીતિ–આસક્તિ તેથે જ છુટકો. ૨. પ્રથમ શુદ્ધ તત્વને પામેલા એવા ખરા જ્ઞાની ગુરુની સેવા-ઉપાસના કરવી. • ૩. તેવા તત્વજ્ઞાની ગુરુ આપણી ગ્યતા પ્રમાણે માર્ગ બતાવે તે અવધારી લેવો. ૪. ગ્રહણ કરેલા સન્માર્ગની રક્ષા ને પુષ્ટિ થાય તેવી સત્સંગતિ સદા ય સેવ્યા કરવી. ૫. જરૂર પડે ત્યારે પણ સભ્યતાપૂર્વક પ્રિય વચન બેલવું, પણ સંતાપકારી કઠોર વચન વજેવું. ૬. જેથી કંકાસ કે કોધાદિક કષાય ઉપજે ને વધે તેવી અનર્થકારી તકરારોથી દૂર રહેવું. ૭. તેવા અનિષ્ટ પ્રસંગે ગમ ખાવાની ટેવ પાડવાથી તે અનર્થ થતો અટકે છે. ૮. ક્રોધાદિક કષાય પેદા થાય ને વધે તેવાં કારણ તજવાં ને શાન્તિ પ્રગટે તેવાં કારણે સેવવાં. ૯. મહાત્માઓનાં પવિત્ર ચરિત્ર યાદ કરી લઘુતા-નમ્રતામૃદુતા આદરવાથી અભિમાનવૃત્તિ ગળી જાય છે. ૧૦. માયામમતા-મૂછ તજવાથી રાગદ્વેષનાં બંધન મેળાં પડી જાય છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy