SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી કરવિજયજી અને સંચય માટે બહુ કાળજી રખાય છે, પણ શરીરની સાતે ધાતુઓના રક્ષણ અને સંચય માટે બેદરકાર રહેવાય છે, એ આપણી અસાધારણ ખામી છે. એ ખામીને દૂર કરવી. શીલવંત સ્ત્રીપુરુષના ચરિત્રે વારંવાર વાંચવા-વિચારવા ને આપણા મન પર કાબૂ મેળવો. અ૯૫ આહાર અને મર્યાદિત વિહારથી વિકારને રોકી શકાય છે, માટે જેમ બને તેમ બ્રહ્મચર્યને રક્ષણ માટે સદા સાવચેત રહેવું. शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवंतु भूतगणाः ॥ दोषाः प्रयांतु नाशं, सर्वत्र सुखीभवंतु लोकाः ॥१॥ परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ॥ परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ૧. વિશ્વત્રયમાં અખંડ શાંતિ પ્રસરોસમસ્ત પ્રાણીવર્ગ પરોપકારરસિક બને ! દોષ માત્ર નિર્મૂળ થાઓ ! અને સર્વત્ર સહુ કઈ લેકે સુખી થાઓ ! ૨. અન્ય જીવોનું હિત-શ્રેય-કલ્યાણ થાય એવી અંતરમાં લાગણું રાખવી તે મિત્રી, અન્ય જીવોના દુઃખને અંત આવે એવી ઊંડી લાગણીથી યથાશક્તિ યત્ન કરે તે કરુણું, અન્ય જીવોની સુખ-સમૃદ્ધિ અથવા ગુણ–ૌરવ દેખી દિલમાં પ્રમુદિત ( રાજી રાજી ) થવું તે મુદિતા અને અન્ય જીવોના ( અત્યંત કઠેરતા, નિર્દયતા, ઈર્ષા, નિંદા પ્રમુખ ) અનિવાર્ય દોષ તરફ ઉપેક્ષા કરી તેમના ઉપર રાગદ્વેષ નહિ લાવતાં, તેમને કર્મવશવતી જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy