SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૮ ] શ્રી કરવિજયજી દીનતાભરેલાં, હીણપત સૂચવનારા અને નિર્માલ્ય વચને કદી પણ બોલવાં નહીં. ભાટ-ચારણે જેવાં ખુશામતભરેલાં અને અસંબંધ વચનનો ઉપયોગ કદાપિ કરવો નહીં. બને ત્યાં સુધી નિરવદ્ય ભાષા જ બોલવી. વાચાળપણાથી, વારંવાર ટોકવાપણાથી અને સમયને અનુચિત ભાષાથી બેલવા કરતાં મન રહેવું વધારે ઉચિત છે. બેલતાં પહેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને લાભાલાભને ખાસ વિચાર કરે; કારણ કે બેલવાથી ઘણાએ બગાડ્યું છે. કોઈની સાથે વિવાદમાં ઉતરવું નહીં, તેમ જાતે અન્ય ધમીઓની સાથે ચર્ચાની ઉદીરણા કરવી નહીં. ધર્મોન્નતિના કારણે પ્રતિપક્ષી સરળ અને જિજ્ઞાસુ હોય તો શાન્તિથી, યુક્તિથી અને પ્રમાણપુર:સર પિતાના જ્ઞાનના પ્રમણમાં ધર્મચર્ચા કરવી. સામા પક્ષને તોડવા ખાતર બેટી યુક્તિઓ કરવી નહીં. સામા પક્ષની જેટલી બાબતો અબાધિત હોય તેને ખુશીથી ગ્રહણ કરવી. ધર્મનીતિને નામે કે સમાજસુધારણાને નામે વાયુદ્ધના અખાડામાં ઉતરવું નહીં. વચનની ટેક દઢ રાખવી. શબ્દમાં કદાચ વિરુદ્ધતા આવતી હોય પણ આશયમાં વિરુદ્ધતા ન હોય તે કદાગ્રહ કરવો નહીં. શબ્દ ભેદમાં આશયભેદ માનવા જેવી એકાએક ભૂલ કરવી નહીં. રાજકથા, સ્ત્રીકથા, આહારકથા અને દેશકથા-એ ચાર વિકથા શ્રાવકે વર્જવી. ખોટી સાક્ષી પૂરવી નહીં. મહટાથી કે બળવાનથી ક્ષોભ પામી છેટી બાબતમાં હાએ હા કે નાએ ના ભણવી નહીં. રાજ્યવિરુદ્ધ, સમુદાયવિરુદ્ધ, નીતિવિરુદ્ધ, ધર્મવિરુદ્ધ અને વ્યવહારવિરુદ્ધ કાંઈ પણ બોલવું કે કરવું નહીં. ( ૭ ) અલ્પારંભવાળી અને ન્યાયધર્મને અનુસરતી આજીવિકા
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy