SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૬ ] શ્રી કપૂરવિજયજી બનતાં સુધી વખાણ પણ ન કરવાં. જમવાને અંતે જરૂર જણાય તે નિર્દોષ અને હિતકારી મુખવાસ ખાવ. ખાઈને ૧૦૦ પગલાં જેટલું જરૂર ફરવું. દોડાદોડ કે બહુ મહેનતનું કામ જમ્યા પછી તરત કરવું નહીં. અજીર્ણ હોય તે ઉપવાસ કરવાથી અને આહાર, વિહાર અને નિહારમાં નિયમિત રહેવાથી નિરોગી થવાય છે. ( ૫ ) અતિ શીધ્ર, બહુ શ્વાસ ચઢે તેમ ચાલવું નહીં. સામાન્ય ગતિથી, સાડાત્રણ હાથ સુધી દૂર દષ્ટિ રાખીને અન્ય જીવોની યતના થાય તેમ ચાલવું. વાંકા વળી જઈને, હાથ કેડે કે માથે રાખીને, પરની ચેષ્ટા કરતાં, ખાતાં ખાતાં, હાથ બહુ જ ડાલાવતાં, પગ ઘસતાં અને બહુ મડદાર ચાલમાં ચાલવું નહીં. જરૂર હોય ત્યાં, યોગ્ય સમયે, જરૂરની વસ્તુઓ સાથે રાખીને, જરૂરનું કામ હોય તો જ જવું. પરગૃહે નકામા જવું-આવવું નહીં. મન વિનાના, દ્વેષી, અધમ, રાજ્યના કે પ્રજાના ગુન્હેગારને ત્યાં ઘણે ભાગે જવું જ નહીં. સંતાતા કે ડરતા ચાલવું નહી. વાત કરતાં સામા માણસ સાથે કેવા રૂપમાં વાત કરવી તે ધ્યાનમાં રાખવું. કહેવાના મુદ્દા, પૂછવાની બાબતે પણ અને સરળતાથી કહેવી. મધુર, હિતકારી, સ્વપરને ઉપયેગી, સત્ય, શાસ્ત્રસંમત, સરળતાવાળી, સ્પષ્ટ, પરિમિત અને નિર્દોષ ભાષા બોલવી. સામાનું કહેવાનું બરાબર સાંભળીને, વિચારીને, પોતાને ખબર હોય તેટલે જ, હિતાહિતને ધ્યાનમાં રાખીને જવાબ આપો. વચમાં જલદીથી વગર વિચાર્યું અશુદ્ધ કે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy