________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૩૭ ] ૫. “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” આ વાક્ય વિચારે.
૬. જેવું હિત માતાપિતાદિક કરી ન શકે તેવું આત્મહિત સુગુરુ યથાવિધિ સેવ્યા છતાં અવશ્ય કરે છે–કરી શકે છે.
૭. કર્તવ્યદિશા–મહાપુન્યવેગે અતિ દુર્લભ માનવદેહાદિક સામગ્રી પામીને ભવ્યાત્માઓએ તજવા યોગ્ય દોષોને ત્યાગ કરવો જોઈએ, કરવા યોગ્ય કર્મો-આચરણે સેવવાં જોઈએ, પ્રશંસવા ગ્ય વસ્તુઓનાં વખાણ કરવાં જોઈએ અને સાંભળવા એગ્ય બાબતે સાંભળવી જોઈએ-આ ચારે બાબતે મુમુક્ષુઓએ બરાબર વિચારમાં–લક્ષ્યમાં લેવા યોગ્ય છે.
૮. જે કંઈ પણ ચિત્તની મલિનતા કરે અને મોક્ષમાર્ગને અટકાવે તેવાં દૂષણે મન-વચન-કાયા સંબંધી હોય તેમને અવશ્ય તજી દેવા જોઈએ.
૯. જે આચરણ કરવાથી આપણું મન સાચા મોતીની માળા જેવું કે બીજા એવાં જ ઉજજવળ પદાર્થો જેવું શુદ્ધનિર્મળ બને તેવું આચરણ બુદ્ધિમાન મનુષ્યએ અવશ્ય સેવવું જોઈએ.
૧૦. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની સદા ય સ્તુતિ-પ્રશંસા કરવી જોઈએ.
૧૧. સર્વ દોષોને નાશ કરે એવાં સર્વશ વીતરાગનાં કહેલાં હિતવચનો ખરી શ્રદ્ધાથી શુદ્ધ થયેલ બુદ્ધિપૂર્વક અતિ આદર સાથે સાંભળવા અને સ્વહૃદયમાં અવધારવા જોઈએ.