________________
[ ૧૭૬ ]
શ્રી કપૂરવિજયજી છે, જ્યારે બીજી બે પ્રકારની લકત્તર ક્ષમા છે. જિનેશ્વર દેવનાં કે જિન આગમ-શાસ્ત્રનાં વચનાનુસારે સ્વછંદપણાને ત્યાગ કરી ક્ષમા આદરવી તે વચન ક્ષમા. તેની સતત સેવાઅભ્યાસવડે મોક્ષદાયક છે તે અસંગ ક્ષમા જાણવી.
ઉપર કહી તેવી અલોકિક ક્ષમાયોગે પૂર્વે બંધકસૂરિના પાંચસો શિષ્ય પરમપદ-મોક્ષ પામ્યા; તેમ જ દૃઢપ્રહાફી મુનિ, કૂરગડુ મુનીશ્વર, ગજસુકુમાળ અને મેતાર્ય મુનિ પ્રમુખ મુનીશ્વરે અનેક અઘેર પરિષહ-ઉપસર્ગો સમભાવે સહન કરી પરમાનંદ પદને પામ્યા, તેમ આપણે પણ તેવી ક્ષમાં ધારણ કરવા પર પ્રયત્ન કરવો ઘટે છે.
૪. સંયમ વિષે. સંયમ પ્રભાવ વણનાધિકાર.
(સ્વાગતા વૃત્ત) પૂર્વ કમ સવિ સંયમ વારે, જન્મવારિનિધિ પાર ઉતારે તેહ સંયમ ન કેમ ધરીએ? જેણ મુકિત રમણે વશ કીજે. ૭ તુંગ શિલ બળભદ્ર સુહાયો. જેણ સિંહ મૃગ બેધ બતાય; તેણ સંયમ લહીય અરયો, જેણુ પંચમ સુરાલય પાયો. ૮