________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૬૭ ]
તથા સમાજનું, ધર્મનું અને દેશનું પણ પારમાર્થિક હિત સધાય તેવી બુદ્ધિશક્તિવાળા થાય.
૭. સુપુત્ર વર્ણન.
( સ્વાગતા વૃત્ત )
માત તાત પદ્મ કિંજ સેવા, જે કરે તસ સુપુત્ર કહેવા; જેહ કીત્તિ કુળ લાજ વધારે, સૂર્ય જેમ જગ તેજસ ધારે.
( શાલિની વૃત્ત )
ગગાપુત્રે વિશ્વમાં કીર્ત્તિ રોપી, આજ્ઞા જેણે તાતકેરી ન લેાપી; તે ધન્યા જે અંજનાપુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથ સેવા.
૨૦
૨૧
જે સદા માતાપિતાના ચરણની સેવા કરે અને કુળની લાજ-પ્રતિષ્ઠા તથા યશ-આબરુ વધારે તેને સુપુત્ર લેખવા. જે સુપુત્રા માતપિતાની સેવાભક્તિપૂર્વક તેમની ઉચિત આજ્ઞાનું સદા રિપાલન કરતા રહે છે તથા ન્યાય-નીતિથી પ્રમાણિકપણે ચાલે છે તેમના યશ-પ્રતાપ સૂર્યની પેઠે દિન દિન વધતા જ રહે છે.
જેણે કદાપિ માતાપિતાની આજ્ઞા લેાપી નથી એવા વિનીત ગ`ગાપુત્ર-ગાંગેય ભીષ્મપિતામહની કીર્ત્તિ અદ્યાપિ સર્વત્ર ગવાય છે. તેમ જ જેણે જાનકીનાથ-શ્રી રામચંદ્રજીની સાચા દિલથી સેવા કરી તે શ્રી અંજનાપુત્ર-હનુમાનજી જેવા નરરત્નને પણુ ધન્ય છે. માતાપિતાદિક તથા ઉપગારી