________________
( ૧૩ ). વર્ષ બંધ રહી ત્યારે પણ મુનિશ્રીએ સિદ્ધક્ષેત્રની નિશ્રા ન છોડવા માટે એ મહાતીર્થના જ એક ફૂટરૂપ ગણાતા શ્રી તાલધવજગિરિનો આશ્રય સ્વીકાર્યો અને તળાજાની ધર્મશાળામાં વસવા છતાં અહર્નિશ ટેકરી પર જવાનું અને સિદ્ધાચળની દિશામાં એકતાન બની થાનારૂઢ થવાનું ચાલુ રાખ્યું. ચોમાસામાં તીર્થયાત્રા બંધ થતી ત્યારે કઈ વાર ભાવનગર તે કઈ વાર તળાજા આદિ સ્થળે ચોમાસુ કરવા જતા. તેઓશ્રીના દીક્ષા પર્યાય પ્રતિ મીંટ માંડતાં લગભગ ૪૭ ચોમાસાને આંક નીકળે છે એની ગણત્રી આ પ્રમાણે– ૧ ભાવનગર ૩ ૮ ગેધાવી ૧ ૧૫ નવસારી ૨ તાલધ્વજ ૧ ૯ સેમ ૨ ૧૬ કાશી ૩ વળા ૧ ૧૦ માણસા ૧ ૧૭ આગ્રા ૪ વઢવાણ કેમ્પ ૧ ૧૧ રાજપુર ૧ ૧૮ કચ્છ-વાગડ ૩ પ ધોરાજી ૧ ૧૨ મહેસાણા ૨ ૧૯ કચ્છ-માંડવી ૨ ૬ વીરમગામ ૧ ૧૩ પાટણ ૧ ૨૦ સાદડી ૧ ૭ સાણંદ ૨ ૧૪ ખંભાત ૧ ૨૧ પાલીતાણા લગભગ૧૭ શિષ્ય પરિવાર
જ્યારથી પિતાના વિષયમાં ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રજીમહારાજને પિતાની સંમતિ વિના દીક્ષા ન દેવાના નિરધારવાળા જોયેલા ત્યારથી જ પોતે પણ કોઈ શિષ્ય થવા આવે તેને માટે એ નિયમ સૂચવવાનું નકકી જ કરેલું. નસાડી-ભગાડીને કે ચેરી-છુપીથી દીક્ષા આપવી એ તેમને ગમતું જ નહીં. વળી જેને જીવનરાહ અધ્યાત્મમય ને નિ:સ્પૃહ દશાવાળ હોય તેમને શિષ્યની વાસના કેમ સંભવે? ખાસ જિજ્ઞાસુ આવે ને સાચી લાલસા દાખવે