SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી કહેવાય છે કે “ ત્યાગે તેની આગે ” અને “ માગે તેથી નાસે ” એ હકીકત બહુ જ અર્થસૂચક છે. જે કાઇ મહાનુભાવ લક્ષ્મીને અસ્થિર-ચપળ સ્વભાવી અને અસાર સમજી તેની ઉપરની મમતા-મૂર્છા તજી, પરમાર્થ દ્વારા તેને સારા ક્ષેત્રામાં વિધિપૂર્વક વાવે છે તેને તેથી અનંતગુણી દ્રવ્ય અને ભાવ લક્ષ્મી અનાયાસે મળી આવે છે એ વાત ખરી છે. તેમજ જે કાઇ ચેાગ્યતા વગર તે લક્ષ્મીની યાચના કરે છે, વિવિધ પ્રકારના વ્યવસાય કરે છે, કાળાં ધેાળા કરે છે, અને તેના માટે મરી જ઼ીટે છે તેમને તે મળતી જ નથી, એટલે તેમનાથી તે દૂર ને દૂર ભાગતી ફરે છે. દાન, ભાગ અને નારા એ લક્ષ્મીની ત્રણ ગતિ કહી છે. જે મુગ્ધ જના કૃપણુતાથી છતી લક્ષ્મીએ દાન દેતા નથી તથા તેનેા રીતસર ઉપભાગ કરતા નથી તેમની તે લક્ષ્મી છેવટે નાશ જ પામે છે. અથવા તે તે કૃપણ એવા મસ્મણુ શેઠની જેમ લક્ષ્મી અહીં જ અનામત મૂકી મરી જાય છે. દાન દાનમાં પણ ફેર છે. જે દાન વિધિપૂર્વક બહુમાનથી સત્પાત્રને દેવામાં આવે છે તેનાથી પુન્યાનુબંધી પુન્ય ઉપાર્જન થાય છે. તેવું દાન દઇને પ્રમુદ્રિત થવાને બદલે પાછળથી ખેદ કરનારને ફળની હાનિ થવા પામે છે; તથા અજ્ઞાનપણે કુપાત્રનુ પાષણ કરવાથી અને કુવ્યસનાદિનું સેવન કરવામાં ઉડાવી દેવાથી તેના નાશ પણ થાય છે. અજ્ઞાનભર્યાં તપ-જપ—કાયકષ્ટાદિક કરવાથી પાપાનુબંધી પુન્ય ઉપાર્જન કરનારને જો કે લક્ષ્મી મળે છે, પરંતુ તેને તે દુરુપયોગ કરીને દુતિ પામે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy