SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪] શ્રી કપૂરવિજયજી ૨. હિતચિંતન. પરહિતચિતન યા પરોપકાર કરવા હિતોપદેશ. (માલિનીવૃત્ત ) પરહિત કરવા જે, ચિત્ત ઉછાહ ધારે, પરકૃત હિત હૈયે, જે ન કાંઇ વિસારે પ્રતિહિત પરથી છે, તે ન વાંછે કદાઈ પુરષ યણ સોઇ, વંદિયે સે સદાઈ નિજ દુખ ન ગણે છે, પારકું દુઃખ વારે, તિહ તણું બલિહારી, જાઈયે કેડી વારે; જિમ વિષભર જેણે, ડુંક પીડા સહીને, વિષધર જિન વિરે, બૂઝવ્યો તે વહીને. ૪ પરહિત કરવા જે સદા ય ચિત્તમાં ઉત્સાહ ધરે છે, એવા જ સદ્દવિચાર જેના મનમાં સદા ય જાગૃત રહે છે, એવી જ મિષ્ટમધુરી હિતવાણી વદવા સદા ય ચીવટ રાખી પ્રવર્તે છે, બીજા પરોપકારશીલ પુરુષોએ કરેલાં હિતકાર્યો-પરોપકારનાં કામ જે કદાપિ વિસરી જતા નથી, અને ઉપકારનો બદલો મેળવવા જેમને ઈચ્છા થતી જ નથી એવા પુરુષરને સદાસર્વદા સત્કાર–સન્માન કરવા લાયક જ છે. જે પિતાનું દુઃખ ગણકારતા નથી અને પારકું દુઃખ દૂર કરવા કાયમ પ્રયત્ન કરે છે તેવા પુરુષાથી પુરુષરત્નની કોડે વાર બલિહારી છે. જુઓ ! ચરમ તીર્થકર શ્રી મહાવીરદેવે અંડકોશીયા નાગના ડંખની પીડા સહીને પણ કેવળ પરમાર્થદષ્ટિએ તેને પ્રતિબંધ કર્યો, એ વાત મશહૂર છે. આવા
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy