________________
[ ૯૪ ]
શ્રી કર્ખરવિજયજી
૨૯. શીલવ્રત કુશીલ તજવા હિતિપદેશ-પરસ્ત્રીગમનથી થતા ગેરફાયદા.
અપયશ પડતું વાગે, લેકમાં લીહ ભાગે, દુરજન બહુ જાગે, ને કુળે લાજ લાગે; સજન પણ વિરાગે, મે રમે એણુ રાગે, પરતિય રસ રાગે, દેશની કેડી જાગે. ૫૦ પરતિય રસરાગે, નાશ લંકેશ૩ પાયો, પરતિય રસત્યાગે, શીલ ગંગેય ગાય; કુપદ જનક પુત્રી, વિશ્વ વિધેપ વિદીતી,
સુરનર મિલી સેવી, શીળને જે ધરતી. ૬૦ કામાન્ય બની પરસ્ત્રીગમન કે વેશ્યાગમન કરવાથી અપયશ વધે છે, કુળ કલંકિત થાય છે, લેકમર્યાદાનો લેપ થાય છે, દુર્જનતા વધતી જાય છે, સજજનનું મને તેનાથી વિરક્ત બની જાય છે, તેવા પરસ્ત્રી સંબંધી વિષયરસમાં હે મુગ્ધ ! તું રાચીશ નહિ. સ્વસ્ત્રીમાં જ સંતોષ ધરનાર સુખી થાય છે અને તે એકપત્નીવ્રતવાળે લેખાય છે.
સ્ત્રીને અનાદર કરી પરસ્ત્રીમાં લુબ્ધ બનનારને મહાહાનિ થવા પામે છે. - પરસ્ત્રીના વિષયરાગમાં પડવાથી રાવણ જેવો રાજવી વિનાશ પામે અને ઉક્ત વિષયરસથી વિરક્ત થયેલે ગાંગેય સર્વત્ર યશવાદ પામ્ય, બાળવયથી જીવિત પર્યત જેણે અખંડ શીલનું પાલન કર્યું એવા તે અંતે સદ્દગતિને પામ્યા.
૧ આબરૂ જાય. ૨ પત્રિયા-પરસ્ત્રી. ૩ રાવણ, ૪ દ્રૌપદી અને તા. ૫ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ