SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] શ્રી કરવિજયજી છે તેમને તેથી અનેકગુણ લક્ષ્મી અન્ય ભવમાં સહેજે આવી મળે છે. તેમને કશી વાતનો તોટે રહેતે નથી જ. નળરાજા, બલિરાજા હરિશ્ચન્દ્ર અને ભેજરાજા પ્રમુખ જે જે પુચક–પ્રશંસનીય પુરુષોનું પ્રભાતમાં નામ લેવામાં આવે છે તે દાન ધર્મના જ પ્રભાવે, એમ સમજી, વિવેક આણી, ઉદાર દિલથી અનેક પ્રકારે દાન દઈ, નિજ દ્રવ્યસંપત્તિને સાર્થક કરી આ દુર્લભ માનવભવને લાહો લેવું જોઈએ. જે તેમ કરવામાં પ્રમાદ કરે છે તેમને પાછળથી પસ્તાવું પડે છે. જ્ઞાની પુરુષોએ અનેક પ્રકારનાં દાનમાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન ઉચિતદાન અને કીર્તિદાન એ પાંચ મુખ્ય દાન કહ્યા છે. જેમાંના પ્રથમના બે મેક્ષદાયક છે અને પાછળના ત્રણ દાન, ભેગ-ફળને આપે છે. નિ:સ્વાર્થપણે યેગ્ય પાત્રને યથાવસરે દાન દેવાથી અમિત–અપાર લાભ મળે છે. દાન દેતાં સંકેચ, અનાદર, અનુત્સાહ, ખેદ, અવિશ્વાસ પ્રમુખ દોષ અવશ્ય વજવા યોગ્ય છે અને ઉદારતા, આદર, ઉત્સાહ, અનુમોદન, પ્રમેહ, હર્ષ અને ફળશ્રદ્ધા પ્રમુખ ભૂષણે સેવવા યંગ્ય છે. કુપાત્રને પોષવાથી લાભને બદલે હાનિ થાય છે અને સુપાત્રને પોષવાથી ભારે લાભ મળે છે. તે ગાય અને સર્પના દષ્ટાને સમજી શકાય એમ છે. ગાયને કેવળ ઘાસચારો નીરવામાં આવે છે તે પણ તેના બદલામાં તે અમૃત જેવું ફૂલ આપે છે અને સર્પને દૂધ પાવામાં આવે છે છતાં તે દૂધ પાનારના પણ જીવિતને અંત કરનાર વિષ પેદા કરે છે. કાચી માટીના પાત્ર જેવા નજીવા-હલકા પાત્રમાં દાન દેવાથી દીધેલી વસ્તુ અને પાત્ર બંને વિણસે છે, તથા દાતાને પાછળથી
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy