________________
[ ૮૬ ]
શ્રી કરવિજયજી ૨૧ અહે ભવ્ય આત્માઓ ! પુણ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પ્રમાદાચરણથી રને જીતી બાજી હારી જતા.
જાગે ! જાગે !
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૭૫
સ્વહૃદય બેડ પર લખી રાખવા યોગ્ય બોધવચન.
( એકાવન બેધવાક) ૧ ક્ષમા વીરા મૂષણમ્ ! (માફી આપવી અને માણી માગવી) (ખમવું અને ખમાવવું) એ વીર–ભક્તનું ખાસ લક્ષણ છે-ભૂષણ છે.
૨ હિતાહિતને વિચાર કરવો એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ૩ સુશીલ બનવું એ જ માનવદેહ પામ્યાનો ઉત્તમ સાર છે.
૪ સઠેકાણે વિવેકથી દ્રવ્યવ્યય કરે, એ લક્ષ્મી પામવાનું ફળ છે.
૫ પ્રિય અને હિતવચન વદવું એ જ વાચા પામ્યાનું ફળ છે.
૬ પાપમાર્ગથી નિવર્તાવી સન્માર્ગમાં જેડે તે જ ખરો મિત્ર છે.
૭ સહુ સાથે મિત્રભાવ રાસહુનું સદાય ભલું જ ચાહો. ૮ દીન-દુ:ખી-અનાથ ઉપર અનુકંપા રાખી તેને ઉદ્ધાર કરે.
૯ સુખી અને સદ્ગુણીને દેખી યા સાંભળી પ્રમુદિતહર્ષિત બનો.
૧૦ કઠોર પરિણામી ઉપર પણ દ્વેષ ન કરો.