SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. નિયાયિકો કોઈ પણ કાર્યની નિષ્પત્તિમાં સમવાયી, અસમવાયી અને નિમિત્ત ત્રણ દિવસ આ કારણોને માને છે. જ્યારે જૈનો કાર્યોત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત આ બેયને માનતા હોવાથી તો તૈયાયિક માન્યતાનું ખંડન કર્યું છે. ૯. કેટલાક લોકો અવયવ અને અવયવીનો એકાંત ભેદ માને છે, પણ જેનો ભેદભેદ (એકાંત તિ ભેદ નહિ અને એકાંત અભેદ પણ નહિ) માનતા હોવાથી એકાંત-ભેદવાદનું ખંડન કર્યું છે. ૧૦. સંયોગ સંયોગ જ હોય છે, એવું ન્યાય અને વૈશેષિક દાર્શનિકો માને છે. જયારે છે. જૈનો સંયોગથી સંયોગની ઉત્પત્તિને માનતા નથી, તેથી તેનું ખંડન. ૧૧. કેટલાક દાર્શનિકો કર્મને સાત, ત્રણ કે બે ક્ષણ સ્થાઈ માને છે, તેનું ખંડન કરી દો સ્વમત દર્શન કરાવ્યું છે. . ૧૨. જૈનો શરીર ઇન્દ્રિયાદિના વિકાસ અને પોષણમાં પર્યાપ્તિ નામની એક શકિતને માને વિ છે. જયારે ઈતર દર્શનકારો આવી કોઈ શકિતને માનતા નથી. ઉપાધ્યાયજીએ જૈન મત સંમત છે. પર્યાપ્તિનું અસ્તિત્વ અને તેની જરૂરિયાત અંગે વિવેચન કરી સમજાવ્યું છે. ૧૩. દ્વિત્વ આદિ સંખ્યા અપેક્ષા બુદ્ધિથી જન્મે છે. અને વ્યંગ્ય છે એ બાબતનું સમર્થન. ૧૪. તૈયાયિકો પરમાણુને શાશ્વત માને છે. જ્યારે જૈનો શાશ્વત માનતા નથી. તે વાત છે રજૂ કરી છે. ૧૫. વૈશેષિક મતાનુસાર પરમાણુઓમાં પાક અને ન્યાય મતાનુસાર અવયવીમાં પાક હોય છે Sી છે એમ જણાવે છે. જયારે જૈન દાર્શનિકો પરમાણુઓમાં પાકથી રૂપાદિકની ઉત્પત્તિ અને નિષેધ તે માને છે તે વાત અહીં રજૂ થઈ છે. ૧૬. અનેક મણિઓમાં ભૂરો, પીળો આદિ ઘણાં રૂપો પ્રતીત થાય છે, અને તેને છેચિત્રરૂપથી તૈયાયિકો ઓળખાવે છે. આ રૂપ એક છે કે અનેક છે? વગેરે વિષયો ઉપર કરેલી વિચારણા. ૧૭. નિયાયિકો જ્ઞાનને સ્વસંવેદન નથી માનતા જ્યારે જૈનો માને છે તેની સિદ્ધિ, ૧૮. જ્ઞાન તો અભેદ, અપરોક્ષ છે, એવું અદ્વૈતવાદી માને છે, પણ જેનો ન માનતા જ હોવાથી તેનું કરેલું પ્રત્યાખ્યાન. ૧૯. આ રીતે હાલમાં વિશેષ લેખન સમયના અભાવે આત્મખ્યાતિના થોડાક વિષયોની થોડી ઝાંખી કરાવી છે. ૨. વાતમાના માં શું છે? વાદમાલામાં જૈનદર્શનાનુસાર સામાન્ય અને વિશેષાત્મક જે હોય તે વસ્તુ છે, પદાર્થ છે. તેનું અનેક વિભિન્ન મતોની આલોચના કરવા પૂર્વક પ્રતિપાદન કર્યું છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy