SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ക്കൂളുകളിൽ ക്ഷ മിക്കു por @# ** ******************** **** છેવટે મને લાગ્યું કે હું એકથી વધુ ઘોડા ઉપર સવાર થયેલો છું, કાર્યનો ભાર વધતો જાય છે આ છે, વળી દિન-પ્રતિદિન સાર્થક કે નિરર્થક વધતી જંજાળો પણ મારો સમય ખાઈ રહી છે. જે છેઉપરાઉપરી આવી રહેલી દીર્ઘકાલીન માંદગીઓ, અન્ય પ્રકાશનોનાં ચાલતાં કાર્યો, કલાના ક્ષેત્રમાં જ છે થઈ રહેલી પ્રવૃત્તિઓ અને ઇચ્છાએ કે અનિચ્છાએ સામાજિક કાર્યોમાં કરવી પડતી પટલાઇઓ, કે છે વગેરે કારણે મને લાગ્યું કે હવે આ કાર્ય મારાથી થવું શક્ય નથી, એટલે પછી આ કાર્ય છે. જ મેં મારા વિદ્વાન મિત્ર પંડિતને સોંપી દીધું, જેનો ઉલ્લેખ પ્રકાશકીય નિવેદમાં કર્યો છે. તેઓ મિ દ્વારા સહૃદયતાથી થયેલા કાર્યને પરિમાર્જિત કરી “ વીરસ્તવ” નામની જે કૃતિનું ભાષાંતર કર્યું છે જ ન હતું, તેનું પણ ભાષાંતર મારા વિદ્વાન સહૃદયી મિત્ર પં. ડો. રુદ્રદેવજી ત્રિપાઠીએ કર્યું. છેવટે છે આ સંપૂર્ણ પ્રેસકોપી તપાસવા માટે પાછી મને મોકલી. તે પ્રેસકોપી આદિથી અંત સુધી જોવાનો છે કે સમય ન મેળવી શક્યો છતાં ઉપલક નજરે જોઈ ગયો. કયાંક ક્યાંક અર્થની દૃષ્ટિએ વિચારણા છે છે માગી લે તેવા સ્થાનો હતાં વળી વીરસ્તવ'નો અનુવાદ ખૂબ પરિશ્રમ પૂર્વક કરવા છતાં ક્યાંક છે ક્યાંક સંતોષકારક ન લાગ્યો એટલે ઘટતી સૂચના સાથે પ્રેસકોપી અનુવાદકશ્રીને મોકલી આપી. આ તેઓએ પણ પુનઃ ઘટતા સુધારા વધારા કર્યા, છતાં પુનરાવલોકન માગી લે તેવી આ કિલષ્ટ છે. કૃતિ હોવાથી આ વિષયના કોઇ સુયોગ્ય વિદ્વાન આ અનુવાદ ખંતથી જોઈ જાય અને અશુદ્ધ છે અને શંકિત સ્થળો જે હોય તે વિના સંકોચે જણાવે અથવા તો એ સંપૂર્ણ અનુવાદ કરીને તે છે અનુવાદ મોકલવાની મોટી કૃપા દાખવે તો ઘણો આનંદ થશે અને તેથી હવે પછી મુદ્રિત થનાર 3 છે ગુજરાતી અનુવાદ વાચકોને સુયોગ્ય રીતે પ્રામાણિકપણે આપી શકાશે. પ્રાથમિક યોજના મેં એવી નક્કી કરી હતી કે દરેક શ્લોકની નીચે ગુજરાતી અને હિન્દી અનુવાદો આપવા જેથી મારા ગુજરાતી દાતારો અને વાચકોને ખૂબ જ સંતોષ થાય પણ ગુજરાતી છે છે. અનુવાદ માટે હું સમય કાઢી શકે તેમ હતું નહિ. બીજા દ્વારા પ્રયાસ કર્યો પણ સમય બહુ છે જાય તેમ હતું. સુયોગ્ય અનુવાદ ન થાય તો કશો અર્થ ન સરે એટલે તત્કાલ તો હિન્દી અનુવાદથી જ સંતોષ માન્યો છે. ભવિષ્યમાં જેમ બને તેમ જલદી ગુજરાતી અનુવાદ તૈયાર છે કરાવી જલદી પ્રકાશિત થાય તે માટે જરૂર પ્રયત્નશીલ રહીશ. કોઈ સંસ્કારી ભાષાના લેખક છે તે મુનિરાજ યા કોઈ વિદ્વાન આવું ઉપકારક કામ કરવા તૈયાર હોય તેઓ મારી સાથે જરૂર પત્ર વહેવાર કરે તેવી સાદર નમ્ર વિનંતી કરું છું. પ્રસ્તુત સ્તોત્રો, કાવ્ય, ઉપ્રેક્ષા, અલંકાર, અર્થ, ભાષ્ય, અને વિવિધ દૃષ્ટિએ કઇ રીતે ઉત્તમ છે. પ્રકારના છે, ઉપાધ્યાયજીએ પ્રાસંગિક ક્યાં ક્યાં માર્મિક અને મહત્વની વાતો રજૂ કરી છે તે, સમન્વયાત્મક દૃષ્ટિએ અવલોકન વગેરે અંગે હું કશું લખી શક્યો નથી પણ જો કોઈ સુયોગ્ય વિદ્વાન સમીક્ષા કરીને મોકલશે તો ગુજરાતી આવૃત્તિમાં તે જરૂર પ્રગટ કરીશું અને ગૃહસ્થ વિદ્વાન હશે કે તો યોગ્ય પુરસ્કારની પણ વ્યવસ્થા સંસ્થા કરશે. સ્તોત્રના શ્લોકોના ટાઈપો જે વાપર્યા છે તેથી છે દોઢા મોટા વાપરવાના હતા પણ પ્રેસ પાસે સગવડ ન હોવાથી બની શક્યું નથી. આ પુસ્તકમાં આપેલા સ્તોત્રમાંથી ઘણા તો જો કે અગાઉ જુદી જુદી સંસ્થા તરફથી છે છે પુસ્તકાકારે તથા પ્રતાકારે પ્રગટ થયાં છે છતાંય એક જ સાથે એક જ પુસ્તકમાં તો આ વખત છે શિિિ િવૃષ્ટિવિટિ [ ૪૧૭] વિક્રિક્રિસ્ટિિિિિિિર ക കർഷകർക്ക
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy