SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ഷഭൂഷിക്കുക com P************************************************* કૃતજન્ય સ્વરૂપ (કારણોથી ઉત્પન પદાર્થનું વિવિધ સ્વરૂપ) તેનો નાશ થઈ જવો જોઇએ. તાત્પર્ય એ છે કે વસ્તુ સર્વથા નિત્ય હોય તો ઘટ વગેરે પદાર્થોનું જે કૃતસ્વરૂપ છે એટલે કે કે કુંભકાર દ્વારા બનાવેલું સ્વરૂપ, તેનો નાશ થઈ જવો જોઇએ. અર્થાત્ ઘટ પટ આદિ આકારોની આ પ્રતીતિ થવી ન જોઈએ, પણ ઊલટું તેની અન્ય આકારોની પ્રતીતિ તો જોનાર મનુષ્યને થાય તે હકીકત છે. મનુષ્ય સમજે છે કે આ ઘટ અમુક કુમ્ભકારે બનાવ્યો છે. આ પટ-વસ્ત્ર તખ્તવાય એટલે વણકરે બનાવ્યો છે. જો ઘટ-પટ સર્વથા નિત્ય હોય તો તેના આકાર વગેરે સ્વરૂપનું દર્શન છે થવું ન જોઇએ. પણ થાય છે તો ખરું, માટે વસ્તુ અપેક્ષાએ નિત્ય છે એમ સ્વીકારવું જોઇએ. કેમકે સર્વથા નિત્ય વસ્તુનો જન્મ હોતો જ નથી. જ્યારે અહીંયા તો કુમ્ભકાર અને વણકર ઘટછે. પટને જન્મ આપે છે. વસ્તુ ઉત્પન્ન થઈ જ્યારે તો પછી સર્વથા નિત્યપણું રહ્યું જ કયાં? તાત્પર્ય છે છે એ કે સર્વથા નિત્ય છે, એવું સમજવું ન જોઈએ. એ જ રીતે ઘટ-પટ વગેરે પદાર્થોને સર્વથા અનિત્ય માનવામાં આવે તો પણ ઉપરોકત દોષ . લાગુ પડે છે. જેમકે-ઘટ-પટ વગેરે પદાર્થનો સર્વથા નાશ પ્રતીત નથી થતો. યદ્યપિ ઘટાકાર રૂપે છે ઘટનો નાશ જોવા મળે છે, પરંતુ માટી વગેરે રૂપે નાશ જોવા મળતો નથી. ઘટના માટી વગેરે છે. અન્ય સ્વરૂપ અનેક સ્થળે વિદ્યમાન હોવાથી માટી આદિની અપેક્ષાએ ઘટાદિ નિત્ય પણ છે. એટલે તાત્પર્ય એ નીકળ્યું કે અપેક્ષા ભેદ ઘટાકાર રૂપે ઘટ અનિત્ય છે અને માટી રૂપે (એટલે મૂળ દ્રવ્યની અપેક્ષાએ) નિત્ય પણ છે. બીજી રીતે પણ નિત્યાનિત્યની સાબિતી કરતાં ગ્રંથકાર સમજાવે છે કે ઘટાદિ પર્યાય (એટલે છૂ કે ઘટાદિ અવસ્થા) રૂપે ઘટ અનિત્ય છે, પણ દ્રવ્યરૂપે (એટલે કે માટી રૂપે) નિત્ય પણ છે, કેમકે છે. વર્તમાનમાં (માટીથી બનેલો) ઘટાકાર હંમેશા રહેવાનો નથી. ગમે ત્યારે એ ઘટ ભાંગી જવાનો છે છે એટલે ઘટાકાર સદા નિત્ય હોઈ શકે એ વાત સંભવિત નથી; એટલે પર્યાય અનિત્ય જ હોય જ છે, એટલે પર્યાય અપેક્ષાએ ઘટાદિને—અનિત્ય કહેવાય છે પણ ઘટનું દ્રવ્ય જેના ઉપરથી ઘટ છે બન્યો તે દ્રવ્ય વિદ્યમાન હોવાથી તે નિત્ય છે. છે એ રીતે આકાશ વગેરે પદાર્થોને પણ અપેક્ષા ભેદોથી નિત્ય અને અનિત્ય તરીકે સમજવા જોઈએ. પણ કેટલાક એકાંતવાદી દાર્શનિકો, વિદ્વાનો કાં તો પદાર્થને સર્વથા નિત્ય જ માને છે. કાં છે છે તો પદાર્થને સર્વથા અનિત્ય જ માને છે. એમ એમની એકાન્તવાદી માન્યતાનું પહેલા શ્લોકની અંદર ખંડન કરવામાં આવ્યું છે. પ્રસંગવશ ઉપાધ્યાયજીએ અવયવ અને અવયવિના ભેદભેદનું નિરૂપણ કર્યું છે. આથી ઘટાદિ છે અને આકાશાદિ સર્વ પદાર્થોને નિત્ય અને અનિત્ય બંને રૂપે સ્વીકારવા જોઈએ, આમ ગ્રંથકાર છે છે અને ટીકાકાર બંને જણાવે છે. તે ઉપરાંત તૈયાયિકોના “સમવાય’ નામના એક ખ્યાતનામ સંબંધનું પણ પ્રત્યાખ્યાન ખંડન કિ કર્યું છે. નૈયાયિકોની માન્યતા પ્રમાણે ચક્ષુ એક તેજસ્ પદાર્થ છે અને આ ચક્ષુની રશ્મિ એટલે જ તરીકવરી વીરજી વકી વીટીવીડીવીટીવી કવીઝીટીવી કીવી છે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy