SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાંચ વ્યક્તિઓને જેમાં નમસ્કાર કરવામાં આવ્યો છે એવો આ નવકાર મહામંત્ર જૈન છે. છેશાસ્ત્રનો સાર છે, જૈનધર્મનો પ્રાણ છે. વ્યક્તિ, સમષ્ટિ, સમાજ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રકાશ છે છે આપનારો, બાહ્ય-અભ્યત્તર દષ્ટિએ સુખ, શાંતિ અને આનંદ આપનારો આ મહામંત્ર છે. તે છે. એટલું જ નહિ પણ આ નવકારમંત્ર શાશ્વતો છે એટલે અનાદિથી અનંતકાળ સુધી આ જ શબ્દો અને અક્ષરો રહેવાના છે. મહર્ષિઓએ આનો મહિમા ભારોભાર ગાયો છે. સહુ કોઈ છે વધુમાં વધુ જપ-ધ્યાન કરતા રહો જેથી જીવનમાં સર્વાગી કલ્યાણ થાય. કરી સિદ્ધચક્ર-વિશ્વની સર્વોચ્ચ વ્યક્તિ માત્ર એક અરિહંતો-તીર્થકરો જ છે. તે પછી મોક્ષે છે. છે ગયેલા સિદ્ધાત્માઓ છે. તે પછી મોક્ષમાર્ગ-ધર્મમાર્ગમાં સહાયક એવા આચાર્ય, ઉપાધ્યાય, અને છે સાધુઓ છે. જે ગુણોને કારણે જે વ્યક્તિઓ મહાન ગણાય છે તે ગુણો છે. દર્શન, જ્ઞાન, તો ચારિત્ર અને તપ. આમ ગુણો અને ગુણીથી સંયુક્ત જૈનશાસનનું સર્વોચ્ચ અને સહુનું સર્વાગી કલ્યાણ, ઈષ્ટસિદ્ધિ, કાર્યસિદ્ધિ અને મનોરથોને પૂર્ણ કરનારું આ શાશ્વતું યત્ર છે. એની છે. સાંધના-આરાધના કરી સહુ કલ્યાણ સાધો! છે નવકારમંત્ર અને સિદ્ધચક્ર બંને સિદ્ધ ગણાતાં યંત્રો છે. તે બીજેથી મેળવી લઈ ઘરમાં આ મઢાવીને રાખો. ખરેખર! આરાધના કરવા જેવી, પ્રકાશ આપી મોક્ષે લઈ જનારી મહાન જ વસ્તુઓ છે. ચિત્રોમાં સુધારા-વધારા કેમ થઈ ન શક્યા તેનો ખુલાસો ચિત્રસંપુટની પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ તે પહેલાં વિ. સં ૨૦૦૫માં કુશળ કલાકાર 3 શ્રીગોકુળભાઈ કાપડિયાએ પોતાની સૂઝ-બૂઝ પ્રમાણે ચીતરેલાં ૧૫ ચિત્રોનો બ્લોકો બનાવરાવી રે મુદ્રિત કરીને બહાર પાડ્યાં હતાં. તે ચિત્રોમાં નજીવી ભૂલો અને નવા સુધારાવધારા કરવા ડે જઈએ તો ચિત્રની મજાને ખામી પહોંચે તેમ હતું એટલે સુધારવાનું શક્ય ન હતું. ત્યારપછી છે. વિ. સં૨૦૩૦માં મારાં હસ્તકનાં નવાં ૨૦ ચિત્રો (જૂનાં ૧૫ સાથે) પહેલી આવૃત્તિમાં તા. ૧૬-૬-૭૪ ના રોજ છપાઈને પ્રગટ થઈ ચૂક્યાં હતાં. એ ૩૫ ચિત્રોમાં જે કંઈ ક્ષતિ હોય છે તે જણાવવા મુનિ મહાત્માઓને અને યોગ્ય અભ્યાસીઓને વિનંતી કરી હતી. બે-ત્રણ મુનિરાજોએ શ્રમ લઈને સુધારા માટેનાં સૂચનો અને નોંધો મોકલવાની કૃપા કરી હતી. કેટલાક ક વિદ્વાનો તરફથી સૂચનો પણ આવ્યાં હતાં. મારી દૃષ્ટિએ પણ ચિત્રોમાં રહેલી કેટલીક ક્ષતિઓ છે ખ્યાલમાં હતી જ. એમાંથી કોઈ કોઈ ચિત્રો નવાં જ કરાવવાનું, વળી જે કોઈ ચિત્રો સુધારી િશકાય તેવાં હતાં તે સુધારવાનું પૂર્ણપણે નક્કી કર્યું જ હતું. પરંતુ બન્યું એવું કે પહેલાનાં કાગળો ઉપર વોટર કલરથી કરેલાં ચિત્રો છાપવા માટે જ્યારે પેટીમાંથી બહાર કાઢ્યાં ત્યારે તે છેચિત્રોની સપાટી વૃદ્ધ એટલે પોચી થઈ હતી, કલરો ઝાખાં પડી ગયાં હતાં. તેના ઉપર સુધારા છે. જ કરવાનું તદ્દન અશક્ય બન્યું હતું. અમારા માટે આ એક ચિત્તાનો મોટો વિષય બન્યો હતો. આ એના ઉપરથી નેગેટીવ પણ લઈ શકાય તેમ નહોતું. પરિણામે શરૂઆતમાં લખ્યું તેમ રે આ ચિત્રસંપુટમાં પ્રગટ થએલાં છાપેલાં ચિત્રો ઉપરથી જ નેગેટીવો લેવાનો વખત આવ્યો. ચિત્રોનો છે :00:00: 02:22:22: [ ૩૫૪ 222222:
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy