SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 6 છે. વર્તનમાં અમુક અપેક્ષાએ સત્યના અંશો હોય છે. તે રીતે અસત્યના અંશો પણ હોય છે. જે છે. દરેકમાં સર્વથા સત્ય જ હોય કે સર્વથા અસત્ય જ હોય એમ નથી હોતું, અપેક્ષાગત સાચું છે છે અને ખોટું બંને સંભવી શકે છે. જેમ એક સ્ત્રીને તેના પતિની દૃષ્ટિએ પત્ની કહેવી એ જેમ છે છે. સાચું છે, તેમ તેના પુત્રની દૃષ્ટિએ માતા કહેવી તે પણ એટલું જ સાચું છે, તાત્પર્ય એ કે- છે ® પત્નીત્વ, માતૃત્વ બંને (અથવા અનેક) ધર્મો એક વ્યક્તિમાં સંભવિત બને છે. બીજો દાખલો છે @ લઈએ તો એક પુત્રનો પિતા તેના પુત્રની દષ્ટિએ પિતા અને બીજા સગપણોની દૃષ્ટિએ કાકો, . જી મામો, ભાઈ પણ હોય છે. માટે જ આ આમ જ છે કે આમ થવું જ જોઈએ એવા કાર ) @ વાપરીને વહેવાર કરવાની વાત અનેકાન્તની દૃષ્ટિને સ્વીકાર્ય નથી. તે ઐકાન્તિક બનવાની કે દુરાગ્રહી થવાની નિતાત્ત ના પાડે છે. વળી તે કહે છે કે ભાઈ એક જ સત્ય અનેક રૂપે છે) છે. પ્રગટ થતું હોય છે. માટે તારે તેનાં અનેક સ્વરૂપોને માન્ય રાખવાં જ જોશે. ભલે તે વિરોધી ) છે. રૂપે પણ હોય! વહેવારમાં જોઈએ તો વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર કંઈ સંપૂર્ણ સત્યને વરેલાં નથી હોતાં. આ જે પણ સત્યના અંશને તો તે વરેલાં હોય છે. તેથી તેટલે અંશે તે સાચા હોવાથી જો બધાય છે અંશોનો અપેક્ષિત આદર કરીએ તો પૂર્ણ સત્ય જન્મ પામે. માટે જ આ સિદ્ધાંત સાચો અને છે પૂર્ણ છે. અને તે “મારું સાચું નહીં પણ સાચું એજ મારૂં એવા સનાતન સત્યના સ્વીકાર કરવા છે છે તરફ સહુને દોરી જનારો છે. વિશ્વમાં આજે અનેક સિદ્ધાંતો, વાદો કે માન્યતાઓ પ્રવર્તે છે તે બધા જૂનાધિકપણે છે 9 અનેકાન્તવાદના રંગથી રંગાયેલા અને બહુધા સંકુચિતતાના વિષથી વ્યાકૃત થયેલા છે. તેથી છે. તેઓ પોતપોતાના મતના કે વાદના આગ્રહી રહે છે. અને એના કારણે અનેક કલહો, શું કંકાસો, વિરોધો અને દુશ્મનાવટોની ભાવનાઓનું વિરાટ વાયુમંડળ સર્જે છે. છેવટે તે 92 વિશ્વયુદ્ધને જન્મ આપીને વિરામ પામે છે. એ અટલ રીતે નોંધી રાખીએ કે પરસ્પર વિરોધી છે . દૃષ્ટિબિંદુ ધરાવનારાઓમાં કોણ સાચા અને કોણ ખોટા છે? અને તે કેટકેટલા પ્રમાણમાં? 9 એ શોધવાની દૃષ્ટિ તેમજ બંને છેડે ઉભેલા કટ્ટર હઠવાદીઓનું મિલન સ્થાન ઉભું કરી છે. આપવાની સમન્વય દૃષ્ટિ, ભગવાન મહાવીરનો સમન્વયધર્મનો મહાન પુરસ્કર્તા, ઉદાર , અનેકાન્તવાદ જ આપી શકે છે! એટલે જ દઢતાથી કહેવાનું મન થાય છે કે, વ્યક્તિ, કુટુંબ, સમાજ, પ્રાંત, રાષ્ટ્ર કે વિશ્વની છે અનેક આંટીઘૂંટીઓ કે અશાંતિઓનો ઉકેલ લાવવો હોય તો આજકાલના તમામ વાદોનું વિસર્જન છે કરી, માનવજાત અનેકાન્તવાદને જ સહર્ષ અપનાવે, પછી તે જુએ કે તેની ગૂઢ અને કૂટ છે છે સમસ્યાઓ કેવી સરલતા અને શીઘ્રતાથી હલ થાય છે. અત્તમાં પ્રાર્થના કે ઘરથી લઈને વિશ્વની પ્રજા પ્રજા વચ્ચે સહાનુભૂતિ, સમજૂતી અથવા છે) @ મૈત્રી કે પ્રેમનો સેતુ ખડો કરવા એકાન્ત કે એકાંગીપણાના કોચલાને તોડી નાંખીને જીવન અને . જગતનું વિશાળ દર્શન કરવા આપણે સહુ અનેકાન્તવાદી બનીએ! અને અંગત જીવનથી માંડીને 9 શું. વિશ્વપર્યન્ત ચિરસ્થાયી શાંતિ ઉભી કરવા અલ્પ ફાળો આપીએ! B5089989089898989% [ ૨૩૦] ©©©©©&e888888 6 6
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy