SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ * * ** ****** ***** ** ******************************************************** ********* ****** ** ***** ** ** *** ** આ પ્રમાણે જેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વચારિત્રી અને સર્વશક્તિમાન હોય તેઓ જ સ્તુતિને ? યોગ્ય હોય છે. સર્વજ્ઞ થયા એટલે તેઓશ્રી પ્રાણીઓ માટે સારું શું ને નરસું શું? ધર્મ શું અને અધર્મ * શું? હેય શું અને ઉપાદેય શું? કર્તવ્ય શું અને અકર્તવ્ય શું? સુખ શાથી મળે અને દુઃખ શાથી આ મળે? આત્મા છે કે નહિ! છે તો કેવો છે? તેનું સ્વરૂપ શું છે? કર્મ શું છે? કર્મનું સ્વરૂપ છે શું છે? આ ચેતનસ્વરૂપ આત્મા સાથે જડરૂપ કર્મનો શો સંબંધ છે? સદાકાળ જીવને એકધારો કે સુખનો જ પૂર્ણપણે અનુભવ થાય, એવું સ્થાન છે ખરું? એ છે તો તે કઈ રીતે મળે? ઇત્યાદિ અનેક બાબતોને જાણે છે. આજના વૈજ્ઞાનિકોને તો પ્રાણીઓ કે દુન્યવી એક એક પદાર્થોનું રહસ્ય જાણવા માટે અનેક અખતરા-પ્રયોગો કરવા પડે છે, પણ આ આત્માઓ તો વગર * અખતરા કે પ્રયોગે, એક કેવળજ્ઞાનના પ્રત્યક્ષ બળથી વિશ્વના તમામ સચેતન પ્રાણીઓ-પદાર્થો કે અને અચેતન દ્રવ્યો-પદાર્થોના આમૂલચૂલ રહસ્યોને જાણી શકે છે. તેઓની સૈકાલિક સ્થિતિ સમજી શકે છે. પોતાના આત્મબળથી વિશ્વમાં ગમે ત્યાં ઉડીને જવું હોય તો પલવારમાં જઈ આવી શકે છે. સર્વજ્ઞ વીતરાગદશાને પ્રાપ્ત પ્રભુ હજ્જારો આત્માઓને મંગલ અને કલ્યાણકારી ઉપદેશ સતત આપે છે અને વિશ્વનાં સ્વરૂપને યથાર્થ રૂપે જાણતા હોવાથી યથાર્થરૂપે જ પ્રકાશિત * પણ કરે છે. આ અરિહંત ભગવંતો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને જ્યારે નિર્વાણ (દેહથી મુક્તિ) પામે ત્યારે તેઓ સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તિના સ્થાનમાં ઉત્પન્ન થઈ જાય છે, અને ત્યાં શાશ્વતકાળ સુધી આત્મિક સુખનો અદ્ભુત આનંદ અનુભવે છે. જે આનંદ દુનિયામાં કોઈ સ્થળ સંક કે પદાર્થમાં હોતો નથી. અરિહંત પદ કયા કારણે અને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તેની આછી રૂપરેખા જણાવી. ટૂંકમાં સમજીએ તો આ અરિહંતના આત્માઓ અઢાર દોષોથી રહિત છે. પરમપવિત્ર અને પરમોપકારી છે, વીતરાગ છે. પ્રશમરસથી પૂર્ણ અને પૂર્ણાનન્દમય છે. તેઓની મુક્તિમાર્ગ બતાવવાની શૈલી અનોખી અને અદ્ભુત છે. તેઓશ્રીનું તત્ત્વપ્રતિપાદન * સદા સ્યાદ્વાદ-અનેકાન્તવાદની મુદ્રાથી અંકિત છે. મન, વચન અને કાયાના નિગ્રહમાં અજોડ છે છે. સૂર્ય કરતાં વધુ તેજસ્વી અને ચંદ્ર કરતાં વધુ સૌમ્ય અને શીતળ છે. સાગર કરતાં વધુ ગંભીર છે. મેરુ માફક અડગ અને અચલ છે. અનુપમ રૂપના સ્વામી છે. આવા અનેકાનેક વિશેષણોથી શોભતા, સર્વગુણસંપન અરિહંતો જ પરમોપાય છે અને એથી જ તેઓ નિતાત્ત સ્તુતિને પાત્ર છે. ૧૨. સ્તુતિ કરવાથી શું ફળ મળે? | સર્વગુણસંપન્ન અરિહંતોની સ્તુતિ કરવાથી મુક્તિનાં બીજ રૂપ અને આત્મિક વિકાસના પ્રથમ સોપાનરૂપ સમ્યગદર્શનની વિશુદ્ધિ થાય છે. ********* * * *** *** * * ૧. (1.) વાવીસથvi મં! નીવે ફ્રિ નાયડુ ? (.) વડેવીસ,vi ઢસા--વિલોહિ ના દા” (ઉત્તર) ** * ** *****ત્ર [ ૨૧૯ ] e ટ ર *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy