________________
*******
**************
લેખાંક-૨
નોંધ—જ્યોતિષચક્ર એ આકાશી વસ્તુ છે. આ આકાશી બધી વસ્તુઓને જૈનશાસ્ત્ર કેવી કેવી રીતે સમજે છે, તેનો ટૂંકો જરૂરી ખ્યાલ નીચે આપ્યો છે. આકાશી બાબતમાં આજના વિજ્ઞાન સાથે આકાશ-પાતાલનું અંતર છે, લગભગ બધી જ બાબતમાં જૈનમાન્યતાથી વિરૂદ્ધ છે, એટલે તેની જોડે વિચારણા કે તુલના કરવાનો કશો અર્થ નથી.
*
—સર્વજ્ઞપુરુષોકથિત જૈનશાસ્ત્રકારો જ્યોતિષચક્રને પાંચ વિભાગમાં વિભક્ત થએલું માને છે. જેનાં નામ અનુક્રમે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા છે.
—અસંખ્ય કોટાનુકોટી યોજન-માઇલોમાં પથરાએલા આકાશ...ાં પ્રત્યેક વસ્તુઓ અસંખ્ય અસંખ્ય સંખ્યામાં છે.
—એ પાંચે વસ્તુઓ સ્વતંત્ર છે, એકબીજાથી ભિન્ન છે. તે સદાય ચર-ગતિમાન જ હોય છે. અનાદિકાળથી જ સ્વતંત્ર છે અને અનંતકાળ સુધી તે રીતે જ રહેશે, તેમાં કશા ફેરફારો થવાના નથી. એ કદી ઉત્પન્ન થતા નથી તેમ ક્યારેય વિનાશ પામતા નથી. એ તો શાશ્વત પદાર્થો છે. પાંચેય જે દેખાય છે તે વિમાનો છે.
—એ પદાર્થો કોઇ કોઇની સાથે જોડાયેલા નથી તેમજ એકબીજામાંથી છૂટા પડીને અલગ થયા છે તેમ પણ નથી.
—વળી સદાકાળ એક જ નિશ્ચિત માપવાળાં જ રહેવાનાં છે. કોઇપણ સંજોગમાં તેના માપમાં હાનિ-વૃદ્ધિ થવાની નથી.
—આકાશમાં દિવસે અતિસ્પષ્ટપણે આપણે જે તેજસ્વી પદાર્થ જોઇએ છીએ, તે સૂર્ય નામના દેવનું તેના જ નામથી ઓળખાતું સ્ફટિકરત્નનું બનેલું વિમાન જ છે અને તેની અંદર અનેક દેવ-દેવીઓનો નિવાસ છે. રાતના આકાશમાં શીતળ પ્રકાશ આપતા અનેક તેજસ્વી પદાર્થો આપણે સ્પષ્ટપણે જોઇએ છીએ. એ બધાય સ્ફટિક વિમાનો છે, અને તે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓનાં છે અને તેની અંદર દેવ-દેવીઓનો નિવાસ છે.
—આ પાંચેય પદાર્થો પોતપોતાના માર્ગની નિશ્ચિત કરેલી આકાશી રેખાઓ ઉપર પ્રતિવર્ષે નિયમ મુજબ ગમનાગમન કરે છે, જેથી દિવસ, માસ, ૠતુઓ અને વર્ષના ભેદો ઉત્પન્ન થાય
—જૈનદૃષ્ટિએ સૃષ્ટિ અસંખ્ય કોટાનુકોટી માઇલો પ્રમાણ છે. જેમાં પૃથ્વી, પાણી અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. એમાં અસંખ્ય પૃથ્વીઓ છે અને અસંખ્ય સમુદ્રોનો પણ સમાવેશ છે. આ સૃષ્ટિનો જમીને જેટલો ભાગ રોકયો છે તેથી અધિક ભાગ પાણી (સમુદ્રો) એ રોકેલો છે.
૧. ચરજ્યોતિષીનું સ્થાન અઢીદ્વીપમાં જ છે. તેની બહાર જ્યોતિષીઓ સદાકાળ સ્થિર જ હોય. *******] *******
**************************