________________
માનું દૂધ પીવાય, પણ માંસ ન ખવાય.. સર, દૂધ તો તમે પણ તમારી માનું પીધું હશે, પણ તમે શું તમારી માનું માંસ ખાશો ?” ને આનો કોઈ જવાબ પેલા ટીચર પાસે નહોતો, એ ચૂપ થઈ ગયા ને મારો દીકરો માત્ર કોકાકોલા પીને પાછો આવ્યો.'
ડૉકટર કહે, “મહારાજ સાહેબ, સાંજે ઘરે આવીને મારા દીકરાએ મને આ વાત કરી ત્યારે એણે આપેલ જવાબ સાંભળીને તો હું એને ભેટી પડયો કે, “બેટા ! જે જવાબ આપતા મને પણ ન આવડે એવો જવાબ આપતાં તને આવડયો !... અમે ઘણી મીટીંગોમાં જઈએ છીએ ત્યારે અમને પણ આવા જ પશ્નો નડતા હોય છે પણ એ વખતે જે જવાબ આપતાં અમને નહોતો આવયો એ જવાબ તને આવડ્યો બેટા, ધન્ય છે તને.'
“મહારાજ સાહેબ, હું મારા દીકરાને ભેટી પડયો. એણે તો એના ટીચરને એમ પણ કહ્યું હતું કે, સર ! અમે તો ગાયને પણ અમારી માતા માનીએ છીએ એટલે અમે એનું દૂધ પી શકીએ, પણ એનું માંસ અમારાથી ન ખવાય.”
સંતાનોને સંસ્કારો આપવાની જાગૃતિ માબાપો રાખે તો કેવું રૂડું પરિણામ આવી શકે છે એની સાબિતી આ સત્યઘટના આપે છે. | ડૉકટરે ભાવવિભોર થઈને કહ્યું, “મહારાજ સાહેબ, જે છોકરીએ મને એમ કહ્યું હતું કે, “માય ગોડ ઈઝ જીસસ ક્રાઈસ્ટ, નોટ મહાવીરા' એ જ છોકરીએ ભારતની યાત્રા કરીને ભારતીય સંસ્કૃતિનો ખ્યાલ મેળવ્યા પછી, સાધુ-સંતોનો સમાગમ કર્યા પછી એના હૃદયમાં જૈન ધર્મ માટે એવું ગૌરવ જાગ્યું કે એનો કોલેજનો અભ્યાસક્રમ પૂરો થયા પછી એણે મને કહ્યું, “ડેડી ! મારે જૈનીઝમ પર પી.એચ.ડી. કરવું છે,
૫૮