________________
પણ હતાં. એ બધાંને ફોન કરીને પારણા પ્રસંગે મેં ઘરે પધારવાનું નિમંત્રણ આપ્યું.'
“પારણાના દિવસે સવારના સાત વાગ્યા ને લોકો આવવા લાગ્યા, લગભગ સવાસો માણસ ભેગું થયું. મને મારી પત્નીની પહેલી અઠ્ઠાઈનાં પારણાં પ્રેમથી કરાવવાનો ઉમળકો હતો. આઠ વાગી ગયા હતા. પારણાની બધી તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. મેં મારી પત્નીને કહ્યું કે “ચાલો, બધાં આવી ગયાં છે, હવે તમે બેસી જાઓ, અમે પારણાં કરાવીએ.” ત્યારે મારી પત્નીએ એવો ભાવ વ્યકત કર્યો કે, “પારણું પછી કરીશ, ઘરમાં જ ભગવાન મહાવીરની મૂતિ છે, પહેલાં આપણે બધા ભેગાં મળી ભગવાનની આરતી કરીએ.'
આ તો મારા જીવનનો યાદગાર પ્રસંગ છે એટલે આજે હું, તમે ને આપણાં બંને બાળકો - બધાં સાથે મળીને સપરિવાર ભગવાન મહાવીરની આરતી કરીએ, પછી હું પારણું કરીશ.” મેં કહ્યું, “કંઈ વાંધો નહિ. ચાલો, હું હમણાં જ બાળકોને બોલાવું.”
મહારાજ સાહેબ, મારા ઘરમાં દીકરીને મારી દીકરી બંનેના બેડરૂમ ઘરમાં પહેલા માળે હતા. આ બાજુ છોકરાંની માને આઠ દિવસની અઠ્ઠાઈનાં પારણાં કરવાનાં હતાં ને મહેમાનો આટલાં બધાં આવી ગયાં હતાં. છતાં છોકરાં હજી એમની રૂમમાં હતાં. પોતાની માનો આવો વિરલ પ્રસંગ ઉજવવાનો જાણે કે એમને કોઈ ઉમળકો જ હોતો ! ભૂલ એમની નહોતી, અમારી હતી કે અમે એમને એવા સારા સંસ્કાર આપ્યા નહોતા, અમે ફકત પૈસાની દોટમાં જ રહ્યાં હતાં.'
મહારાજ સાહેબ, ઉપરના બેડરૂમમાં જવા માટે ઘરની અંદરથી સીડી હતી. તેના દાદરા પાસે નીચે ઊભા રહી મેં બાળકોને બોલાવવા
४८