SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ એ વેલિયું રૂપાળી નિ કેતે આવ્યા આર લેઇ નર તારીને, હરખશું, જયમતિ બહુ દીએ, ક ધર્મે કપિ ગુપ્તપણે હવે હવે, સહુને સ્ત્રી ચરિત્ર -ઃ દુહા ઃ તેડાવે હ ન હોય, સોય. [[] જામાત, માત. llell ભાવાર્થ : વણિક મિત્ર રવિદત્તના દ્દષ્ટાંતે કહેલાં, સાચાં અને હિતવચનો સાંભળ્યાં. છતાં વીરસેન મંત્રીને હૈયામાં રુચ્યાં નહિ. દ્દષ્ટિરાગમાં અંધ બનેલા પામર જીવો કયારેય સારાસારનો વિચાર કરતા નથી. આ જ સંસારમાં મોટું આશ્ચર્ય છે. આ તરફ વિજયપુરમાં રૂપાળીની વાત જાણીએ. હવે બીજીવાર જ્યારે વીરસેન તેડવા ગયો ત્યારે સ્ત્રીચરિત્રને દેખાડતી, વીરસેન, પત્ની લીધા વિના પાછો ફર્યો. સમાજ-સગાં-અને મિત્રની વચ્ચે વીરસેન હાંસીને પાત્ર બન્યો. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ४२२ રૂપાળીએ જાણ્યું કે વીરસેન પોતાના નગર તરફ પાછો ગયો. તો જે વળગાડ વળગ્યો હતો તે હવે દૂર થવા લાગ્યો. ધીમે ધીમે રૂપાળી પોતાના ચરિત્રોને બંધ કરવા લાગી. ને હવે શાંત અને ડાહી થઈ ગઈ. પોતાની દીકરી સાજી થતાં માતા-પિતા ઘણાં હર્ષ પામ્યાં. પણ ભાવિમાં કેવો સમય આવશે ? કેવી પરિસ્થિતિ સર્જાશે ? તેની ચિંતા મા-બાપને રહેતી હતી. સંપૂર્ણ સાજી થઈ છે દીકરી, ત્યારે જમાઈરાજને કહેરાવવું જોઈએ. એમ વિચાર કરતાં હતાં. તે અવસરે એક યોગિણી નગરમાં ભિક્ષાને કારણે ફરતી રૂપાળીની હવેલીએ આવી ઊભી. રૂપાળી પોતાના મહેલમાં મદભર યુવાનીમાં જારપુરુષ ગોવાળની સાથે મનભેર રમતી હતી. યોગિણીના સમાચાર પરિચારિકા આવીને આપી ગઈ. યોગિણીને હવેલીમાં બોલાવી લાવવા કહ્યું. યોગિણી આવી ઊભી. રૂપાળી બે હાથ જોડી પ્રણામ કરી કહેવા લાગી - પધારો ! રૂપાળીએ રસોડામાં જઈ હરખભેર ઘણા ભાવપૂર્વક ભોજન આપ્યું. પાછા વળતાં રૂપાળીએ કહ્યું કે
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy