SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ -ઃ દુહા ઃ ભાવાર્થ : આ જગતમાં ગુરુ ઉપર દ્વેષ કરનારા ઘણા જોયા છે. જ્યારે ગુરુ સમર્પિત, ગુરુ ગૌતમ જેવા વિરલા જ જોવા મળે છે. ગુરુદ્વેષી પ્રાયે લોભિયા હોય છે. લોભના વશ થકી, સાધુનાં સ્વાંગ સજી જગતમાં ફોગટ ફર્યા કરે છે. વિદ્યા પાત્ર જોઈને અપાય. કુપાત્રમાં દીધેલી વિદ્યા મનુષ્યને ફુટી નીકળે છે. આ તાપસકુમાર પણ તેમાંનો એક હતો. મોટો થયે યોગ્યતા ન રહેતાં, ગુરુએ પણ હિતશિક્ષા રૂપ હિતોપદેશ આપવાનો બંધ કર્યો. ગુરુથી ત્યજાયેલા તેણે પોતાની આજીવિકા માટે અને ભીલડીનું પણ ભરણપોષણ કરવા ધન લૂંટવાનો ધંધો ચાલુ કર્યો. ભીલડીના સંગે પાયમાલ થશે. કારણ કે ભીલડી મહાઉલ્લંઠ ધૂતારી સ્ત્રી હતી. સ્વાર્થી એવી આ સ્ત્રી જ્યારે પણ પોતાનું ઘર ધનથી ભરાઈ જશે ત્યારે આ યોગીને મોતના ઘાટે ઊતારતાં વાર નહિ લાગે. જેમ કે અતિશય લોભના વશ થકી શૃંગદત્ત, સમુદ્રમાં જઈ પડ્યો. ધર્મને આરાધ્યો નહોતો. તેથી તે શૃંગદત્ત દુર્ગતિ પામ્યો. દુર્ગતિમાં પણ ઘણા અવતાર કરવા પડ્યા. દેવની વાત સાંભળી કુમાર હવે પૂછે છે કે હે દેવકુમાર ! આ શૃંગદત્ત શેઠ તે કોણ ? કે જે લોભના વશ થકી દુર્ગતિ પામ્યો. દેવ - હે સજજન ! આપ સાંભળો. જે કથા શરૂઆતથી લઈને અંત સુધી કહું છું. -: ઢાળ-પાંચમી - (ઈણ અવસર તિહાં ડુંબનું રે.. એ રાગ.) રોહણપુર નગરે વસે રે, ભૃગદત્ત એક શેઠ રે, લાલ, તોયે વણિજ કરે ધાસે ન કોઇને બત્રીસ કોડી સોવનધણી હો કરે પરાઇ વેઠ રે ચતુરનર, નંદન ચાર છે તેહને રે, તાસ વધુ છે ચાર રે. ચતુરનર. શેઠ કૃપણ અતિશે ઘણો રે લોભ તણો નહિ પાર હૈ, જૈત મુતિ ઘર નહિ ચતુર. હો લાલ, રાતક્વિસ નિદ્રા નહિ રે, ધર્મતી વાત ન ચિત્ત રુચે હો લાલ. [૨] સન્માન રે, ચતુરનર, દીન માન કારે, શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૭ ચતુરનર, બહુ રે, ખાપણી હો લોલ. [૧]
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy