SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ તે પાપ થકી તમારી દુર્ગતિ થશે. પરસ્ત્રીની ઈચ્છાથી થયેલા પાપને ઘોવા માટે તમે સૌ મારા હાથમાં રહેલી તલવાર રૂપી ગંગાનદીમાં સ્નાન કરી પવિત્ર થાઓ. કુમારની વાત સાંભળી સૌ ઉશ્કેરાયાં. ત્યાં તો જોત જોતામાં મોટો સંગ્રામ ખેલાયો. ધનંજયને સંભાળતો કુમાર બધાની વચમાં સંગ્રામ ખેલી રહયો છે. ધનંજય યક્ષની સહાયથી સહુ હારી ગયાં ને ભાગી ગયાં. રત્નસાર મિત્ર થકી કુમાર ચિત્રસેનની ઓળખાણ થઈ. વસંતપુર નગરના રાજા વીરસેનના પુત્ર ચિત્રસેન રાજકુમાર છે. જાણી સહુ નગરજનો આનંદ પામ્યા. ભાટચારણો થકી બિરુદાવલી બોલતાં કહેવા લાગ્યાં કે અમારે તો અણચિંતિત અમૃતની વેલ પ્રાપ્ત થઈ છે. શૂરવીર જમાઈરાજ અદ્ભુત પરાક્રમથી વિસ્મય પામતો પદ્મરથ રાજા ધણો આનંદ પામ્યો. ત્યારપછી રાજપુત્રી પદ્માવતીનો લગ્ન મહોત્સવ મહાઆડંબર પૂર્વક ઘણાજ ધામધુમથી ઉજવાયો. દાયજામાં પદ્મરથ રાજાએ હાથી ઘોડા રથ આદિ આપ્યા અને એ ચિત્રસેને સ્વીકાર્યું. પઘરથ રાજાએ વાચકોને તે વખતે ધણું દાન આપ્યું. પધરથ રાજા જમાઈરાજનું બહુમાન ધણું સાચવે છે. ઘણા મોટા આવાસમાં ઊતારો આપ્યો. રસભરી પદ્માવતી પતિના સંગે અનેક પ્રકારના સુખો વિલસે છે. વળી ચિત્રસેન પૂર્વભવની વાત સંભારતાં પૂર્વભવનો રાગ વિસરતો નથી. એમ સંભારીને સુખમાં દિવસો વિતાવે છે. વળી ગીત-ગાન-નાટક-ખેલ આદિ જોતાં કંઈક દિવસો સુખમાં પસાર થવા લાગ્યા. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે આ સાતમી ઢાળ ઘણા રસથી ભરપૂર એવી કર્તા શ્રી શુભવીર વિજયજીએ પૂર્ણ કરી. -: દુહા : //all એક તિ મિત્રને એમ કહે, જઇશું હવે નિજ દેશ; “વ્યસન તજયાં સુખ સંપજયા, સશુરુને ઉપદેશ. માતા મત આશિષથી, પામ્યો ઋદ્ધિ વિશાળ; મચ્છી સ્મરણ માત્રથી, જળમાં જીવે બાળ. નાગણી આલિંગન કરે, પmગ હવે અભૂત; કૂર્મી અવલોકન કરે, તિણે જળ જીવે પુa. શા all (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २33
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy