________________
૩૦૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરવાને દેવતાઓને બહુમાન વગેરે કરવામાં દોષ નથી. કેમ કે પૂર્વ શ્રતધારીઓએ પણ વિપ્ન નિવર્તન વગેરે કારણે એવું આચરણ કર્યું છે, અને આગમમાં એમ કહેલું છે. તેમજ શ્રી આવશ્યકચૂર્ણિમાં શ્રી વજસ્વામીના ચરિત્રમાં કહ્યું છે કે શ્રી વજસ્વામી સાથે અણસણ ગ્રાહક સાધુઓને દેવતાનો ઉપસર્ગ થયો. તેથી શ્રી વજસ્વામી અન્ય પર્વત ઉપર ગયા. ત્યાં દેવતાનો કાયોત્સર્ગ કર્યો. તે દેવી જાગ્રત થઈ અને કહેવા લાગી કે તમે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો. એમ કહીને આજ્ઞા દીધી. એ અર્થદીપિકાનો પાઠ અહીં લખ્યો છે તે પાઠથી પૂર્વ પાઠ તથા જવાબ પાઠનો પરમાર્થ પૂર્વે શંકા સમાધાન સહિત લખ્યો છે તે ગ્રંથગૌરવના ભયથી લખ્યો નથી, પણ ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૧૩૮માં વંદિત્તાસૂત્રમાં “સમ્પટ્ટિ જેવા હિંદુ સમાર્દિ च बोहिं च ।" "यह पाठ तो तत्त्ववेत्ता श्रावक को भी प्रायें नित्य पढने में आता है । इस वास्ते पूर्वोक्त देवतायों का तप-पूजन-कायोत्सर्ग अरु थुई હની, ડીનર શ્રાવૉ તેની વાહિયે, યહ સિદ્ધ દુકા ” એમ આત્મારામજી આનંદવિજયજી છલ કરીને લખે છે. પણ “મમ્મદિ રેવા' વગેરે પાઠથી વિધ્વનિરાકરણા વગેરે કારણ વિના તત્ત્વવેત્તા જાણકાર શ્રાવકોને દેવાદિકને ઉદ્દેશીને તપ વગેરે યાવત થઈ કરવી સિદ્ધ થતી નથી. કેમ કે “સMિિટ્ટ રેવા હિંદુ સમાદિંર વોટિંઘા” એ પાઠમાં જે સમાધિ કહી એ ચિત્તનું સ્વસ્થપણું અને બોધિ તે પરલોકમાં જૈનધર્મની પ્રાપ્તિ એટલે હું પરભવમાં શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શન સંયુક્ત જો દાસ પણ થાઉં તો સારું પણ મિથ્યા-મોહમતિવાળો રાજા, ચક્રવર્તી પણ નથી થવું, ઇત્યાદિ પરલોક ભાવનાએ સમ્યગ્દષ્ટિ દેવોની પાસે શ્રાવકજન સમાધિ-બોધિ માંગે છે, પણ ચતુર્થસ્તુતિમાં પ્રાયે ઠામ ઠામ ઇહલોકાર્થે પૌદ્ગલિક આશાએ દેવાદિકની પાસે જાચના કરે છે, તેમ કરતાં નથી. તેથી તત્ત્વવેત્તાઓને અર્થાત્ જાણ શ્રાવકોને પૂજા-પ્રતિષ્ઠા વગેરે તથા વિપ્ન નિરાકરણા વગેરે વિના પૂર્વોક્ત દેવતાઓના તપ, પૂજન, કાયોત્સર્ગ અને થોય કરવાં, જૈન સિદ્ધાંતન્યાયે સિદ્ધ થતાં નથી. કેમ કે શ્રી ભગવતીજી સૂત્ર પ્રમુખ શ્રી ગણધરકૃત સૂત્રોમાં તથા શ્રી આવશ્યકનિયુક્તિ પ્રમુખ પૂર્વધરાચાર્યોના કરેલા આગમમાં “હિન્ન રેવા' ઇત્યાદિ વચનથી ચાર નિકાયના