SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના 18 વર્ષના જીવનનો સારાંશ : અગાઉ થયેલાં સંક્ષિપ્ત સર્વેક્ષણોનાં વર્ણનો આપણને સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ 13 વર્ષો દરમ્યાનના મહાવીરના જીવનનો સારાંશ ત્રણ શબ્દોમાં આપી શકાય છે. (1) તપ (2) પરાકાષ્ઠાની યાતના (૩) ઉપાસના મહાવીર સંન્યાસીના આ વ્યવહારોમાં માનતા હતા કે જેનાથી બુદ્ધ કેવળ છ જ વર્ષોમાં થાકી ગયા હતા. (1) તપઃ (વિશિષ્ટ) તેમના તપમાં (નીચેની બાબતોનો) સમાવેશ થાય છે : સમયગાળો (તપનો) (1) 6 મહિના (છ માસિક) (2) 6 મહિનામાં પાંચ દિવસ ઓછા (૩) ચતુર્માસિક (4) ત્રિમાસિક (5) અઢી મહિના (6) દ્વિમાસિક (7) દોઢ મહિનો (8) એક મહિનો (9) પખવાડિક (10) સોળ દિવસ (11) આઠમા ટંકે (ભોજન) (12) છઠ્ઠા ટંકે (ભોજન) (13) ઉપવાસ છોડ્યા આવૃત્તિ (કેટલી વખત આવું તપ કર્યું) એક એક નવ છ બાર બોંતેર એક વખત બાર બસોને ઓગણત્રીસ (229) 350 દિવસ તેમની મથામણનો કુલ સમય બાર વર્ષે છ મહિના અને પંદર દિવસનો હતો. માગશર (મૃગશીર્ષ) મહિનાના કૃષ્ણપક્ષના દસમા દિવસે તેમણે સંસારત્યાગ કર્યો હતો અને વૈશાખ મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે તેમણે સર્વજ્ઞતા (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરી. - જોકે ચુસ્તપણે ગણવામાં આવેલો આ સમય ખરેખર બાર વર્ષ, છ મહિના અને પંદર દિવસ નથી, પરંતુ તેમાં ચાંદ્ર માસના અને અધિક માસના કેટલાક દિવસો ગણવામાં આવેલા છે. ~920~
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy