SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ખુલ્લી થઈ જેની પછીથી તેમણે અવગણના કરી (દુષ્યરિત્રની) અને તેણે (અચંડકે) મહાવીર સમક્ષ જઈને તેમને વિનંતી કરી. આ બાબતે મહાવીરને વિચારતા કરી મૂક્યા. તેમને તેમના પોતાના નિશ્ચયો યાદ આવ્યા. લોકોનું ભલું કરવા માટે તેઓ તેમના નિશ્ચયોથી અસાવચેત રહ્યા હતા. જે જગ્યાએ તેમણે પોતાની હાજરીથી) અસંતોષ પેદા કર્યો હતો તે જગ્યાએ પોતાના ઠરાવોથી) જરાક આડમાર્ગે જઈને રહ્યા. જોકે અચંડકના ચારિત્ર્યના સત્યને તેઓ શક્ય એટલું બહાર લાવ્યા અને તેની છેતરપિંડીમાંથી ગામજનોને બચાવ્યા તેથી તે પોતાના ઠરાવોની વિરુદ્ધ જવું) તેમના માટે ન્યાયયુક્ત હતું. પરંતુ અચંડક તેમની પાસે ગયો કે જે તદન સ્વાભાવિક હતું અને તેનાથી તેણે મહાવીરની સર્વોપરિતાને માન્ય કરી અને એ બાબતનો નિર્દેશ કરવામાં આવ્યો નથી, પરંતુ તેણે સુધરવાનું વચન આપ્યું હોવું જોઈએ. હવે પછી તે જગ્યાએ રોકાવું (મહાવીર માટે) જરૂરી ન હતું, સલાયુક્ત ન હતું અને યોગ્ય(પણ) ન હતું. (કદાચ) તે બાબત સત્યની શોધ કે જે તેમનું અંતિમ લક્ષ્ય હતું તેમાં બાધારૂપ બને તેમ હતી. તેમની ત્યાં રોકાવાની વ્યર્થતા અંગે સ્પષ્ટતાથી જોઈ શક્યા અને (તેથી) તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. આ બનાવે સત્યને પારખવા માટે તેઓને વધારે સારી રીતે વિચાર કરતા કરી મૂક્યા અને ત્યાર પછીથી તેમણે આવી આકર્ષક બાબતોમાં – તેમણે આવી બાબતો ગોસાલા માટે છોડી અને આવશ્યક ન હોય ત્યાં સુધી તેમની શાંતિનો ભંગ કરતા આપણે જોયા નથી અને ગોસાલા (તેણે જો એમ કર્યું હોત તો)ને તેઓ આ માટે ઠપકો આપતા હતા. અને અચંડકના શબ્દોનું સત્ય અનુભવીને મહાવીરે તે જગ્યા છોડી દીધી. આપણા મનમાં એ શંકા પેદા થાય છે કે કોઈ પણ વ્યક્તિ યક્ષ, દેવ કે મનુષ્ય શું અન્યના દેહમાં પ્રવેશ કરી શકે? ઘર્મગ્રંથો તેની વિરુદ્ધમાં જાય છે. એમ કરવું એ વશીકરણની વિશિષ્ટ શક્તિ વગર શક્ય નથી,
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy