SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન થાય, તો એ વિધાનમાં એ સામર્થ્ય છે કે આત્માને ગમે તેવા છે પ્રસંગોમાં મૂંઝાવા ન દે, પણ અનંત ઉપકારીઓના એ વિધાન પ્રત્યે તુ છે કે સાચો સદ્ભાવ અને એને આરાધવાનો અપૂર્વ ઉત્સાહ તે જ કે આત્માઓને આવે છે કે જે આત્માઓની ભવસ્થિતિ પરિપક્વ થઈ S. હોય, એવા આત્માઓ કદાચ અશક્તિ આદિના યોગે એ વિધાનની ઉં યથાશક્તિ આરાધના ન કરી શકે, તો પણ તેની આરાધના માટેની ભાવના અખંડતિપણે એવા આત્માઓના અંતરમાં નિરંતર ઉદ્ભવ્યા જ કરે છે અને યથાસ્થિત આરાધના ન થઈ શકે તેનો પશ્ચાત્તાપ પણ સતત રહ્યા કરે છે. ખરેખર, આ બે રાજર્ષિ મહામુનિઓ આવા સમયે પણ આવી ધીરતા રાખી શક્યા છે, - એ પ્રતાપ અનંત ઉપકારીઓએ વિહિત કરેલા કલ્યાણકારી એ વિધાનના પાલનનો જ છે. આથી જે આત્માઓ, એકાંતે મુક્તિમાર્ગની જ આરાધના કરવા ઈચ્છે છે તે આત્માઓએ અનંત ઉપકારીઓએ એકાંત કલ્યાણના હેતુથી જ વિહિત કરેલા એ વિધાનનું યથાશક્તિ પાલન કરવામાં જ રક્ત બની જવું જોઈએ. વળી એકાંત મુક્તિમાર્ગના આરાધકો માટે એ સિવાય બીજું કરવાનું પણ શું છે ? એ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ એકાંતે મુક્તિમાર્ગની જ આરાધના કરવા ઇચ્છતા આત્માઓએ કરવાની જ નથી, એ છતાં પણ એ કલ્યાણકર વિધાનના પાલનમાં જે આત્માઓને રસ ન જાગે, તે આત્માઓ ખરેખર, શોચનીય ગણાય. એવા શોચનીય આત્માઓ, પ્રભુશાસનના સારને અને તેના રસને વાસ્તવિક રીતે નથી પામી શકતા અને એથી એ બિચારાઓ તેના અનુપમ આસ્વાદથી સાચે જ વંચિત રહે છે. પણ આ બંને રાજર્ષિ મહામુનિઓ તો અનંત ઉપકારીઓએ વિહિત કરેલા એ કલ્યાણકારી વિધાનના યથાસ્થિત પાલનના પરિણામે, શ્રી જિનેશ્વરદેવોના શાસનના સારને અને તેના રસને પામી શકેલા હોવાથી તથા એ સર્વોત્તમ રસનો આસ્વાદથી સઘળાંય પૌગલિક સુખને વિસરી ગયેલા હોવાથી આવા વિકટ પ્રસંગે પણ અન્ય કોઈપણ જાતના વિકલ્પો નહિ કરતાં, ધર્મધ્યાનનો આશ્રય કરીને કાયાનો ત્યાગ કર્યો અને સ્થિર થઈને ઉભા રહ્યા. મહાપુરુષો વિવેકહીમાં સાથી 9 હિતેષતા હોય છે...૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy