SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે. એ મહાપુરુષોએ પોતાનું જીવન એવું તો બનાવી દીધું કે મહિલાઓના મહિના સુધી આહાર કે પાણી વિના સ્વાધ્યાય અને ધ્યાનમાં મશગુલ રહી શકે. इतश्च तौ कीर्तिधर - सुकोशलमहामुनी । પ્રવૃતિ ચાતુર્માસ - મત્યેનું ટ્રાન્તમાન સૌ જિ:સ્પૃહી સ્વશરીરેડ, સ્વાધ્યાય-ધ્યાનતત્વરી ? गिरेर्नुहायामेकस्य, तस्थतुः सुस्थिताकृती ॥ “જ્યારે એકબાજુ સહદેવી આર્તધ્યાનના યોગે ગિરિગુફામાં વાઘણ બની, ત્યારે બીજી બાજુ દમી નાખ્યું છે મન જેઓએ તેવા સુસ્થિત આકૃતિવાળા શ્રી કીર્તિધર અને શ્રી સુકોશલ બંનેય મહામુનિઓ ચોમાસાની ચાતુર્માસી પસાર કરવા માટે પોતાના શરીરને વિષે પણ નિ:સ્પૃહ બની અને સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર થઈને એક ગિરિની ગુફામાં રહ્યાં છે. ભાગ્યવાનો ! વિચારો કે શ્રેષ્ઠ રાજ્યસંપત્તિના ભોકતા, કે જેઓએ ગૃહસ્થાવાસમાં દુ:ખ કોને કહેવાય ? તે ભાળ્યું નથી એમ કહેવાય તેવા આત્માઓ આજે કંઈ રીતે પ્રભુમાર્ગની આરાધના કરી રહા છે ? ધર્મની આવી અનુપમ આરાધના કરનારા આત્માઓને સંસાર કેમ સંઘરે ? અને એવા આત્માઓને વરવા માટે મુક્તિરમણી પણ કેમ ન તલસે ? મોક્ષલક્ષ્મી આવા આત્માઓના કરકમળમાં હોય, એમાં આશ્ચર્ય પણ શું? જેઓને આત્મકલ્યાણ સિવાયની બીજી કોઈપણ પ્રકારની પરવા જ નથી રહી ! એ જ કારણે એ બંનેય મહામુનિઓ ચોમાસાના ચાર મહિનાનો સમય વ્યતીત કરવા માટે એક પર્વતની ગુફામાં આવીને વસ્યા, અને પોતાના શરીર ઉપર પણ નિ:સ્પૃહ બનેલા તે રાજષિ મુનિઓએ ચારેય મહિના ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી સ્વાધ્યાય અને ધ્યાનમાં તત્પર બનીને પસાર કર્યા.” વાઘણ બનેલી સહદેવીએ કરેલો ઉત્કટ ઉપસર્ગ એ રીતે ચારેય મહિના પસાર થયા અને કાર્તિક મહિનો આવ્યો એટલે એ બંનેય રાજર્ષિ મહામુનિઓ પારણા માટે બહાર નીકળ્યા. પારણા માટે જતા એવા એ બંનેય રાજર્ષિ મહામુનિઓને માર્ગમાં યમની દૂતી જેવી દુષ્ટ એવી તે વાઘણે જોયા. જોતાની સાથે વિવેકીસ્નેહીમાં સાથ ( હિતેષતા હોય છે..૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy