________________
રાજર્ષિ સુકોશલ મુનિપુંગવ પણ પોતાના પિતા મુનિપુંગવની જેમ ઘોર તપશ્ચર્યા કરવામાં ઉગ્ર બન્યા અને એકાગ્રતાના યોગે તે મુનિપુંગવે પણ અનેકવિધ તપોને ઉગ્રપણે તપ્યાં. એના યોગે એ બંને રાજર્ષિ મુનિપુંગવો સમાન સ્તુતિપાત્ર બન્યા છે. એ બંનેય રાજર્ષિ મુનિપુંગવોનું સ્વરૂપ આલેખતા જેમ કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સમાન રીતે સ્તવ્યા છે. તે જ રીતે સ્તવના કરતાં શ્રી ‘પઉમચરિયમ્' ના કર્તા મહાપુરુષે ૬૬ ફરમાવ્યું છે કે -
"ते दोवि पियापुत्ता- तवसंजमनियमसोसियसरीरा વિહરતિ વૃધિડુવા, ગામાન મયં વસુદં ર’
તપ, સંયમ અને નિયમથી શોષવી નાખ્યું છે શરીર જેઓએ તેવા દૃઢ ધીરજવાળા તે બંનેય પિતા-પુત્ર મુનિપુંગવો ગામ અને આકરથી મંડિત એવી પૃથ્વી પર વિહરે છે.
સંત.... ભાગ-૨
મુનિપુંગવ પાસે દીક્ષા અંગીકાર કરી, અને મુનિપણાના પાલન માટે પ્રયત્નશીલ થયા.
........રામ-લક્ષ્મણને
આપણે જાણી ગયા છીએ કે આ રીતે પિતા-પુત્ર મુનિ જ્યારે આરાધનામાં રક્ત છે, ત્યારે પુત્રના વિયોગે આર્તધ્યાન ધ્યાવવામાં તત્પર બનવાથી સહદેવી શ્રી કીર્તિધર જેવા પુણ્ય પુરુષની ધર્મપત્ની બનવા છતાં અને સુકોશલ જેવા સુજાત પુત્રની માતા બનવા છતાં મરીને ગિરિગુફામાં વાઘણ બની.
બન્ને મહાત્મા રાજધિઓની અનુપમ આરાધના આથી સમજાશે કે પોત-પોતાના કર્મના યોગે પ્રાણીઓ આ સંસારરૂપ ભયંકર અટવીમાં અથડાયા કરે છે. એમાંથી પ્રાણીઓને બચાવવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મ સિવાય બીજું કોઈપણ સમર્થ નથી. એ ધર્મની સામગ્રી નહિ પામનારા અને પામ્યા છતાં પણ નહિ આરાધનારા આત્માઓ R સુખના અર્થો છતાં આ દુ:ખમય સંસાર રૂપ અટવીમાં રખડ્યા જ કરે છે અને દુર્લભ એવા એકના એક સર્વોત્તમ ધર્મની ઘોર વિરાધના કરનારા તો અનંતકાળ સુધી આ દુ:ખમય, દુ:ખલક અને દુ:ખપરંપરક અટવીમાં કારમી રીતે રીબાય છે. આથી કલ્યાણના