________________
આત્મિક સ્વાર્થ કે જેમાં એકાંતે સ્વ-પરવું હિત સમાયેલું છે, તેમાં કુશળ એવા શ્રી કીર્તિધર, મહારાજાએ, તે સુકોશલ નામના પુત્રને જે અવસ્થામાં જાણ્યો તે જ અવસ્થામાં રાજ્ય ઉપર સ્થાપન કરીને શ્રી વિજયસેન નામના સૂરિવરની પાસે દીક્ષા અંગીકાર કરી, અને ત્યારબાદ
तप्यमानस्तपस्तीव्रं, सहमान: परीषहान् । स्वगुर्वनुज्ञयैकाकी - विहारेणान्यतो ययौ ||
“તીવ્ર તપને તપતા અને પરિષહોને સહતા એવા તે કીર્તિધર નામના મહર્ષિ, પોતાના ગુરુદેવની અનુજ્ઞાથી એકાકી વિહારને અંગીકાર કરી વિહરતા એવા તે રાજર્ષિ અન્યત્ર વિહાર કરી ગયા.
એક ઉત્તમ કોટિના આત્મા માટે અમુક સમય સુધી ગૃહવાસમાં રહ્યા, એ કારણે તેઓમાં કાચો વૈરાગ્ય હતો અગર તો તેઓ સંસારમાં આસક્ત હતા એવી કલ્પના કરવી એ પણ એક જાતનું ભયંકર પાપ છે, કારણકે એ ઉત્તમ કોટિના આત્માની પ્રવૃત્તિ જ એવી કલ્પના સામે મજ્બુત કિલ્લો ઉભો કરે છે, પણ આજ્ના અજ્ઞાન આત્માઓ એ હકીકતનો દુરૂપયોગ ન કરે એ કારણે એક વાત જણાવી દેવી જરૂરી છે કે શ્રી જૈનશાસનમાં રાજ્ય માટે પણ પુત્ર થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ એવી આજ્ઞા નથી; કારણકે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાતમાં અંતિમરાજર્ષિ તરીકે સુપ્રસિદ્ધ શ્રી ઉદાયન રાજાએ, પુત્રની વિદ્યમાનતામાં પણ કેશી નામના ભાણેજ્જે રાજ્ય સોંપ્યું છે અને દીક્ષા લીધી છે, માટે રાજ્ય ખાતર પણ વિરાગી રાજાએ પુત્ર થાય ત્યાં સુધી થોભવું જોઈએ, એવી પરમ વીતરાગ શ્રી જ્ઞેિશ્વરદેવના શાસનમાં આજ્ઞા નથી જ. કેમકે એ શાસનમાં તો એક ક્ષણ પણ પ્રમાદ કરવાની મનાઈ છે, અને એ વાત ભગવાન શ્રી ગૌતમસ્વામીજીમહારાજા જેવા પ્રત્યે પણ પરમાત્મા શ્રી મહાવીર દેવના,
“સમાં નોયમ! મા પમાય ''
હે ગૌતમ! એક સમય માત્ર પણ તું પ્રમાદ ન કર !" આ પ્રકારના ઉપદેશથી સુપ્રસિદ્ધ છે.
5000
જાણે સમ્યકૃત્વ અને ચારિત્રનો વારો જ હશે ...૨