________________
સ૮૮. ભાગ-૨
એવી યોગ્ય મર્યાદાના પાલનમાં જ આત્માનું શ્રેય: છે. જમાનાના બહાને ઉત્તમ મર્યાદાને પણ ગાંડી કહેનારાઓ ખરેખર જ ગાંડા છે, કારણકે ઉત્તમ મર્યાઘએ તો ઘણાય યોગ્ય આત્માઓને બચાવ્યા છે, અને એવી મર્યાદામાં બચાવવાનો ગુણ પણ છે. શ્રી વજબાહુની દલીલોમાં પોતાના માટેની થયેલી કુલનપણાની અને અકુલીનપણાની વાતથી મનોરમાના અંતરમાં એક શલ્ય ઉભું થયું, પણ એથી તે મૂંઝાતી નથી કે પતિ મને પૂછે કેમ નહિ ?' એવો અકુલીનપણાને
છાો હક્ક પણ કરવાને તે લલચાતી નથી, એટલું જ નહિ પણ ૩પોતાના પતિને પોતાના તુચ્છ સ્વાર્થની ખાતર હિતકર પ્રવૃત્તિના
નિશ્ચયમાંથી પાછા પાડવાનો ઈરાદો પણ તે નથી કરતી. ઉલટું પોતે પતિના માર્ગનો આશ્રય લેવાનું જ વિચારે છે.
સાચી ધર્મપત્નીઓની ફરજ ખરેખર, પતિ જો ઉન્માર્ગે જ સ્તો હોય તો ઉન્માર્ગે જતા પતિને બચાવવા માટે સાચી ધર્મપત્ની સિહણ જ થાય, પણ જ્યારે પોતાનો પતિ સન્માર્ગે જ જાય ત્યારે સાચી ધર્મપત્ની પોતાના પતિની અનુયાયિની જ થાય. આ શિષ્યવચનને ખરેખર જ મનોરમા સાચી પાડવાને ઈચ્છે છે અને ઈચ્છે જ, કારણકે સતીઓનો તે પરમધર્મ જ છે.
પિતાના વચનની ખાતર જ્યારે શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે કંઈ તે સીતાજીને પૂછવા નહોતા ગયા કે હું વનવાસ જાઉં કે નહિ ? કારણકે સીતાજી ના પાડે તો પણ કંઈ શ્રી રામચંદ્રજી પિતાજીના વચનને પાળવામાં પાછા પડે તેમ ન હતા, કેમકે શ્રી રામચંદ્રજી જેવા પિતાજીના હતા, તેવા પત્નીના ન હતા. જો કે વાત
આજના જમાનાવાદીઓને ખટકશે ખરી, પણ એથી કાંઈ એ સત્ય જ છૂપાવાય તેમ નથી જ. વળી સીતાજીને પણ “પતિ વનવાસ જાય
છે” એવા સમાચાર મળ્યા કે તરત જ તે પતિની પાછળ વનવાસે
ચાલી નીકળે છે, પણ મને પૂછ્યા વિના એમને જવાનો હક્ક જ શો?' હું એવો વાંધો લેવામાં સીતાજીએ ડહાપણ નહોતું માન્યું, કારણકે એ
મહાસતી હતા.