SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સતત ભાગ-૨ રામ-લક્ષ્મણને માટે જરૂરી એવી જે ભિક્ષાવૃત્તિ તેવી ભિક્ષાવૃત્તિથી જ પોતાની આજીવિકા ચલાવનારા તથા સધળી આરાધનામાં જ રક્ત હોવા છતાં ઉપકાર કરવાની તીવ્રતર ભાવનાના ઉપાસક હોવાથી કલ્યાણના અર્થી થઈને પોતાની પાસે આવતા ભવ્ય આત્માઓને દુર્ગતિથી બચાવી શકે અને સુગતિમાં સ્થાપી શકે તેવા ધર્મનો જ ઉપદેશ આપનારા એવા જે સદ્ગુરુઓ તેઓની સેવામાં રહેવું અને તેઓની કૃપાથી પ્રાપ્ત થતા શ્રી વીતરાગ પરમાત્માના ધર્મની આરાધનામાં અખંડિત યત્ન કરવો, એટલે કે અનુકંપાદાન અને સુપાત્રદાન ૧૮ સદ્ભાવપૂર્વક દેવું, શીલ અને સદાચારોના નિર્મલ સેવક બનવું, તૃષ્ણા માત્રનો નાશ કરનાર તપના તપનારા થવું અને પોતાના આત્મા સાથે પરનું પણ ભલું થાય એવી જે મૈત્રી' આદિ ચાર અને ‘અનિત્ય' આદિ બાર તેમજ તેવી પણ બીજી જે સુંદર ભાવનાઓ છે, તે ભાવનાઓના સાચા હદયપૂર્વક્ના ઉપાસક બનવું. આ ઉપાયોના પ્રભાવે અવશ્ય મનુષ્યજન્મરૂપ વૃક્ષના સુંદર ફળરૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે અને તે દ્વારા મનુષ્ય જન્મરૂપ વૃક્ષને સફળ બનાવ્યા પછી, તે ફળનો અનુપમ આસ્વાદ જ્યાં સદાને માટે કોઈ પણ જાતના ઉપદ્રવ વિના ભોગવી શકાય છે તેવા શાશ્વતપદની પ્રાપ્તિ પણ સહજ છે. આ સઘળાં ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે, મનુષ્ય જન્મરૂપ વૃક્ષનું સુંદરમાં સુંદર ફળ જો કોઈ હોય તો તે એક શ્રી વીતરાગ પરમાત્માએ સેવીને ઉપદેશેલું ચારિત્ર જ છે, તે સિવાય બીજું એક પણ નથી. માટે સઘળાંય મુમુક્ષુઓએ તે એક ચારિત્રની પ્રાપ્તિ અને તે પ્રાપ્ત થયા પછી તેના અખંડિત પાલન માટે જ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ભાગ્યશાળીને માટે હાંસી પણ કલ્યાણકારી મોહથી મુંઝાઈ ગયેલા પોતાના સાળા શ્રી ઉદયસુંદરને સદુપદેશ આપતાં પરમવિરાગી શ્રી વજબાહુએ ૧. મનુષ્યન્મરૂપ હું વૃક્ષનું ફળ શું? ૨. સક્ત આત્માઓની મશ્કરી પણ કેવી હોય તથા તે સફળ હોય કે નિષ્ફળ? ૩. પત્ની હોય તો તેના માટે પણ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy