________________
પશ્ચાત્તાપપૂર્વકની યાચના જી પોતાના પુત્રની આ દશા જોવાથી શ્રીમતી કૈકેયીદેવીને પણ _ _ પોતાની ભૂલનો સંપૂર્ણ ખ્યાલ આવ્યો અને તેનું હદય પશ્ચાતાપથી “R પૂર્ણ બની ગયું. એટલે એ શ્રીમતી કૈકેયીદેવી તે જ વખતે ત્યાં આવ્યા અને મહારાજા શ્રી દશરથને આ પ્રમાણે કહે છે કે,
X X X X X X X X X X X X X X X X 1 भरताय त्वया राज्यं, दत्तं सत्यप्रतिश्रव ! ॥१॥ પરમેષ ન ગૃહસ, રસવં તે વિનયી સુતઃ ? अन्यासां चास्य मातृणां, महदुःखं ममापि च ॥२॥ अविमृष्य विद्यायिन्या, पापीयस्या मया कृतम्। सति त्वयि सुपुत्रेऽपि, हहा राज्यमराजकम् ॥३॥ कौशल्यायाः सुमित्रायाः, सुप्रभायश्च दुःश्रवम् । रदितं ममः श्रुण्वंत्या, हृदयं भवति द्विधा ॥४॥ भरतेन रामं गत्वा, तौ वत्सौ रामलक्ष्मणौ । अनुनीय समानेष्या-म्यनुजानीहि नाथ ! माम् ॥७॥
“પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરનારા હે નાથ ! આપે તો ભરતને રાજ્ય આપ્યું. પરંતુ આ આપનો વિનયી પુત્ર ભરત રાજ્યને ગ્રહણ કરતો નથી. આ ભરતની અન્ય માતાઓને પણ ઘણું દુ:ખ થઈ રહ્યાં છે. વગર વિચાર્યું કરનારી અને પાપિણી એવી મેં એવું કર્યું કે જેથી આપ અનેક પુત્રોવાળા હોવા છતાં પણ આજે આપનું રાજ્ય રાજા વિનાનું થઈ રહ્યાં છે. ખરેખર, હે નાથ ! કૌશલ્યા, સુમિત્રા, અને સુપ્રભાના દુ:ખે કરીને સાંભળી ન શકાય એવા રુદનને સાંભળતાં મારી એવી દશા થઈ રહી છે કે જેથી મારા હદયના બે ટુકા થઈ જાય છે માટે હે નાથ ! આપ મને આજ્ઞા આપો કે જેથી હું ભારતની સાથે જઈને મારા તે રામ અને લક્ષ્મણ નામના પુત્રોને સમજાવીને પાછા લાવીશ.”
ઉત્તમ આત્માની ઉત્તમતા આ ઉપરથી તમે સમજી શકશો કે ઉત્તમ આત્માઓથી પણ કદાચ સંયોગવશાત્ ભૂલ થઈ જાય છે. પણ જો ચેતવનાર સંયોગો મળે તો તેની ઉત્તમતા ઝળક્યા વિના રહેતી જ નથી. સ્ત્રીસ્વભાવથી અને પુત્ર પ્રત્યેની મમતાથી કૈકેયીએ વિલક્ષણ માંગણી કરી તો દીધી પણ તેનું પરિણામ તેમનાથી ન સહાયું. છેક છેવટ સુધી પોતાના પુત્ર ભારતનું એક સરખું જ વલણ જોવાથી તેનું હદય પણ હાથમાં ન જ રહતું. અને પોતાની ભૂલ સુધારવાની તૈયારી પોતે જ બતાવી. ઉત્તમ
શ્રી ભરતજીનો રાજ્યાભિષેક
શ્રી દશરથજીની દીક્ષા...૧૩