________________
જ સૂચવે છે. મોહવશ બનેલી શ્રીમતી કૈકેયી તુચ્છ સ્વાર્થના પ્રતાપે છે શ્રી લક્ષ્મણજી જેવા માટે અવશ્ય કોપનું પાત્ર હતી. પણ શ્રી ભરત 99 તો કોઈપણ રીતે કોપનું પાત્ર હતા જ નહિ, પણ આવેશના અનિષ્ટને તાબે થયેલા શ્રી લક્ષ્મણજી એ વાતનો વિચાર ન કરી શક્યા એ જ કારણે શ્રીલક્ષ્મણજીને કુળમાં અધમ એવા શ્રી ભરત પાસેથી રાજ્યને પડાવી લઉં અને શ્રી રામચંદ્રજીને તે રાજ્ય સોંપી છે દઉં.' આવા પ્રકારનો વિચાર આવ્યો. અન્યથા કદી જ ન આવત. કારણકે શ્રી ભરતે તો હજુ રાજ્યનો સ્વીકાર જ કર્યો નથી એટલું જ નહિ પણ સ્વીકારવાની ઈચ્છા સરખી પણ પુણ્યશાળી શ્રી ભરતના અંત:કરણમાં ઉત્પન્ન નથી થઈ. પણ આ બધી વિચારણાને અવકાશ આવેશવશ બનેલા શ્રી લક્ષ્મણજીના અંતઃકરણમાં ન જ મળ્યો. તેઓ તો શ્રીમતી કૈકેયી સાથે ભારત ઉપર પણ ગુસ્સે જ થઈ ગયા અને એ ગુસ્સાના નિવારણ માટે તેઓના હૃદયમાં એ જ ભાવના ઉત્પન્ન થઈ કે રાજ્યને લઈ બેઠેલા એ જ કારણે કુલાયમ એવા ભરત પાસેથી રાજ્યને ઝૂંટવી લઉં ! અને વડીલબંધુ શ્રી રામચંદ્રજીની સેવામાં એ રાજ્ય સમર્પી દઉં.
આ ભાવના એ ક્રોધના આવેશનું જ પરિણામ હતું. એમાં કોઈથી જ ના કહી શકાય તેમ નથી. આવા મોટા અને વિવેકી માણસ પણ જ્યારે ક્રોધના આવેશમાં આવી અનિષ્ટ ભાવનાના છે ઉપાસક બની જાય તો પછી સામાન્ય કોટીના આત્માઓ માટે તો હું પૂછવું જ શું? માટે ગમે તેવા પ્રસંગે પણ કલ્યાણની કામનાવાળાએ કોઈ પણ જાતના આવેશના અનિષ્ટથી બચવું જ જોઈએ.
આવેશમાં પણ વિચારશીલતા વધુમાં એ વાત પણ નિશ્ચિત છે કે કોઈક સમયે મહાપુરુષો પણ સામાન્ય માણસની જેમ આવેશની અનિષ્ટતાને આધીન બની જાય છે. પણ મહાપુરુષોની વિચારશીલતા તેમને કદી જ અનિષ્ટ પરિણામ આવે એટલી હદ સુધી નથી પહોંચવા દેતી. એના જ પ્રતાપે ! એવો અનિષ્ટ વિચાર આવતાની સાથે જ બીજો આવશ્યક વિચાર પણ શ્રી લક્ષ્મણજીના હૃદયમાં ઉદ્ભવ્યો. અને તે એ કે, ‘મહાસત્ત્વશાળીતાના પ્રતાપે રાજ્યને તરણાની જેમ તજીને ચાલી
રામચન્દ્રજીતે છે વનવાસ. ૧૨