SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ દશરથ મહારાજા સંવેગના ઉપાસક બનેલા હોવા છતાં પણ સ્નેહરાગની આધીનતાના પરિણામે વારંવાર ભયંકર મૂચ્છિત થવા d જેવી દશાને પામ્યા. સ્નેહરાગની આવા પ્રકારની વિષમતા કયા વિવેકીને ન સાલે ? સ્નેહરાગની વિષમતા હરકોઈ વિવેકીને સાલે તેવી જ છે.’ ભક્તિ અને વિનયથી ભરેલી વિનંતી પિતા પાસેથી નીકળેલા શ્રી રામચંદ્રજી પોતાની માતા પાસે જાય છે. માતા પાસે જઈને શ્રી રામચંદ્રજી માતાને નમસ્કાર કરે છે. અપરાજિતા દેવી કે જે પોતાની માતા થાય છે. તેને નમસ્કાર કરીને શ્રી રામચંદ્રજી વિનય ભરેલી ભક્તિથી પોતાની માતા પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા કે X X X X X X X X માતર્યથાહું તનયો, તોપ તથૈવ તે स्वां सत्यापयितुं संधां, तस्मै राज्यमदात् पिता, मयि सत्येषः नादत्ते तद् गन्तव्यं मया वने ॥२॥ तदशा भरतं पश्येः सविशेषप्रसादया ન્હાüિવિ મા મુસ્તું મહિયોનેન વાતના 1311 “હે માતાજી ! જેવી રીતે હું આપનો પુત્ર છું તે જ રીતે ભરત પણ આપનો પુત્ર છે. પિતાજીએ પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે રાજ્ય ભરતને અર્પણ કર્યું છે. મારી હયાતિમાં આ ભરત રાજ્યને ગ્રહણ નથી કરતો તે કારણથી મારે વનમાં જવું એ યોગ્ય છે. વળી તે જ કારણથી મારી ગેરહાજરીમાં આપ ભરતને મારા કરતાં પણ વિશેષ પ્રસન્નતાભરી દૃષ્ટિથી જોજો. અને કોઈપણ સમયે મારા વિયોગથી અધીર ન બનશો.” આવા પ્રકારની ભક્તિ અને વિનયથી ભરપૂર વાણી પુત્ર પાસેથી સાંભળવાને કઈ માતા આજે ભાગ્યશાળી છે ? સભા : સાહેબ ! આજે તો અસંભવિત છે. ܐ ܐ પ્રભુશાસનની ત્યાગપ્રધાનતા આ અસંભવિત ગણાતી વસ્તુને પણ પ્રભુનું શાસન સંભવિત બનાવી શકે છે. આ પ્રતાપ પ્રભુશાસનની સુસંસ્કારોનો છે. પ્રભુશાસનની પ્રાપ્તિ વિના આવી જાતના ઉદ્ગારો નીકળવા એ શ્રી રામચન્દ્રજીનો ૨૮ વનવાસ...૧૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy