________________
HINDIDDL)
સંસારમાં મરણ કોઈને પણ તે ચાહે તો બાળ હોય, ચાહે તો વૃદ્ધ છે હોય. કા ચાહે તો તરૂણ હોય. છોડતું નથી. એ વાત સર્વ પ્રકારે છે કે સુનિશ્ચિત છે. માટે આવા કારમાં સંસારમાં રહેવાની અને હું વિષયસુખમાં ફસાઈ સર્વસ્વ હારી જવાની સલાહ આપવા જેવી છે મોહાધીનતા આપે સ્વીકારવી એ કોઈપણ પ્રકારે વ્યાજબી નથી.
શ્રી ભરતના મુખેથી આવી વાત સાંભળવા છતાં પણ = વ્યવસ્થા આદિના મોહમાં મૂંઝાયેલા શ્રી દશરથમહારાજાએ રાજ્ય લેવાની સલાહ આપતા શ્રી ભરતને કહ્યું કે,
गेहासमे वि धम्मो, पुत्त ! महागुणयरो समक्खाओ । तम्हा गिहधम्मरओ, होहि तुमं सयलरज्जवई ॥
“હે પુત્ર ! ઘરરૂપ આશ્રમમાં પણ મહાગુણને કરનારો ધર્મ શ્રી જિનેશ્વરદેવોએ કહેલો છે. તે કારણથી ગૃહસ્થ ધર્મમાં રક્ત બનીને તું કોઈ પણ જાતના સંકોચ વિના સકળ રાજ્યના અધિપતિ થા.”
શ્રી દશરથ મહારાજાના આ કથનની સામે પણ ભરતે સ્પષ્ટ શબ્દોમાં વિનયપૂર્વક કહી દીધું કે,
जड़ लहड़ मुत्तिसोक्खें, पुरिसो गिहधम्मसंठिओ सन्तो। तो कीस मुञ्चसि तुमं, गेहं संसारपरिभीओ ॥ मोत्तूण सयणवग्गं, धणधन्वं मायरं च पियरं च । સુહૃદુવવ્ર વેન્તો, હાઈ હિ8$ નવો રે
હે પિતાજી ! જો પુરુષ ગૃહસ્વધર્મમાં રહા છતાં મુક્તિના સુખને પામે છે, તો પછી આપ શા માટે એકદમ સંસારથી ભયભીત થઈ ઘરને છોડી દે છો ? બાકી તો હે પિતાજી ! સુખ અને દુઃખને એકાકીપણે ભોગવતો જીવ ૨૩, સ્વજનવર્ગને, ધનને અને ધાન્યને તથા માતાને અને પિતાને મૂકીને એકલો જ આ સંસારમાં ભ્રમણ કરે છે.”
શ્રી ભરતના આવા પ્રકારના કથનથી શ્રી દશરથ મહારાજા ઘણો જ સંતોષ પામ્યા. અને એ સંતોષના યોગે ભરતની પ્રશંસા પણ કરી, પરંતુ વ્યવસ્થાના મોહમાં પડેલા તેમણે પુન: પણ એ જ ફરમાવ્યું કે, "હે પુત્ર ! તું પ્રતિબોધ પામ્યો છે. એ વાત સાચી, તો
આદર્શ યરિવારની આદર્શ વાત....૧૧