________________
સત... ભાગ-૨
રિઅમ-મણને
પુત્ર કે જે સંસારનો વિરાગી નથી તે છતાં પણ રાજગાદી સમર્પિ દેવાને આનંદપૂર્વક સજ્જ થાય એ કાંઈ સામાન્ય પ્રીતિ કે સામાન્ય વિસ્મયનું કારણ નથી જ.
શ્રી ભરતના વ્રતના સ્વીકારતી યાચના આ પ્રમાણેના શ્રી રામચંદ્રજીના વચનને સાંભળીને પ્રીતિ તથા વિસ્મયને પામેલા શ્રી દશરથ મહારાજાએ જેટલામાં પોતાના
મંત્રિવરોને ભરતને અભિષેક કરવાનો આદેશ કર્યો તેટલામાં જ શ્રી તે ભરત બોલ્યા કે,
“સ્વામિન્ સહ તાઢિાન-માઢવિધ્યાર્થિત મયા ? તાત તન્યથા »[, ચાવિ વસર્વિસ માટે
“હે સ્વામિન્ ! મેં તો શરૂઆતથી જ આપની સાથે વ્રતના સ્વીકારની યાચના કરેલી છે. તે યાચનાને હે તાત ! આપે કોઈના પણ વચનથી અન્યથા કરવી એ યોગ્ય નથી.”
શ્રી દશરથમહારાજાની આજ્ઞા ભરતની આ યાચનાનો અસ્વીકાર કરતાં શ્રી દશરથમહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં શ્રી ભરત પ્રત્યે આજ્ઞાના રૂપમાં ફરમાવ્યું કે
રા_વાવ મા વડે મસ્તૃતિ મુઘા શુ ? वरो मया हि त्वन्मातु - इत्तो न्यासीकृतश्विरम् ।।१।। સોડ તે રાજ્યાનેન, વૈવેધ્યા યાતોડના ! आज्ञा मम च मातुश्च, नान्यथा कर्तुमर्हसि ॥२॥
હે વત્સ ! તું મારી પ્રતિજ્ઞાને ફોગટ ન કર, મેં તમારી માતાને એક ( Roછે વર' (વરઘન) આપેલું છે અને તે ચિરકાળ સુધી મારી પાસે થાપણ તરીકે
રાખેલું છે. તે આજે તારી માતા શ્રીમતી કૈકેયીએ તને રાજ્ય આપવારૂપે માંગેલ છે તે કારણથી હે વત્સ ! મારી અને તારી માતાની આજ્ઞાને અવ્યથા કરવાને તું યોગ્ય નથી અર્થાત્ તેમ કરવું એ તારા માટે યોગ્ય નથી. એ કારણે તું તારી અનિચ્છા છતાં પણ મારી આજ્ઞાથી તું આ રાજ્યને ગ્રહણ કર.”
IDEIR